ખેડૂત સંમેલન / વડોદરામાં નવલખી મેદાનમાં CM વિજય રૂપાણીનું સંબોધન

વડોદરામાં નવલખી મેદાનમાં મુખ્યમંત્રી રૂપાણીએ સંબોધન કર્યુ હતું અને તેમણે જણાવ્યુ હતું કે આજે અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે. અટલજીએ સ્વરાજ્યમાંથી સુરાજ્યના કાર્યની શરૂઆત કરી હતી. નદીઓને જોડવા અને રસ્તાની કનેક્ટીવીટીની શરૂઆત થયેલી છે. 170 કરોડના કામો કરી સુશાનની ઉજવણી કરી છે. જયારે કોંગ્રેસની સરકારમાં શહેરોને સહાય મળતી ન હતી. તેમજ રાજ્ય પાસે પૈસા પણ ન હતાં. ભ્રષ્ટાચારનો કાળો પંજો તિજોરીને ભરખી ગયો હતો. PM મોદીએ ખાતો નથી, ખાવા દેતો પણ નથીનું સુત્ર આપ્યું છે. તેમજ વિશ્વના વિકસીત 10 શહેરોમાં ગુજરાતના શહેરો છે.

બ્રેકિંગ ન્યૂઝ