ગાંધીનગર: લોકસભાની ચૂંટણી પહેલા સંકલન વધારવા માટે ભાજપ સરકારે કવાયત શરૂ કરી છે.ત્યારે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિનરની ડિપ્લોમેસી અપનાવી છે. જેના ભાગરૂપે આજે સરકાર સંગઠન અને સંઘના લોકો સાથે ભોજનસહ બેઠક યોજાશે. વિભાગોની વહેંચણીના વિખવાદ બાદ સંગઠન અને સંઘની બેઠક યોજાશે.
આ બેઠકમાં બોર્ડ નિગમોમાં નિમણૂંક કરવા પણ બેઠકમાં મંથન થઈ શકે છે. આ બેઠકથી સરકારના પ્રતિનિધિઓ અને સંઘના વચ્ચે સંકલન પણ વધશે. ઉલ્લેખનીય છે કે રાજકીય નેતાઓ પોતાના પક્ષના વિવિધ હોદ્દેદારો સાથે કેટલાક અગત્યના વિષયો પર ચર્ચા કરવા માટે ડિનર ડિપ્લોમસી અપાનવતા રહ્યા છે.
આપને જણાવી દઇએ કે હજી થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ દિલ્હી ખાતે પોતાના નિવાસ સ્થાને એક ડિનરનું આયોજન કરેલ જેમાં વિપક્ષોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.ત્યારે ગુજરાતના વર્તમાન મુખ્ય પ્રધાને પણ સંગઠનના લોકો સાથે સંકલન સાધવા અને ગુજરાતમાં ચાલી રહેલ વિખવાદો અંગેની ચર્ચા કરવા માટે ડિનરનું આયોજન કરેલ.