કોરોના વાયરસને લઇને તમામ ઉદ્યોગો અને એકમો બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે રાજ્યમાં ધીમેધીમે ઉદ્યોગો શરૂ થઇ રહ્યાં છે ત્યારે અશ્વિની કુમારે કહ્યું કે રાજ્યમાં 40 હજારથી વધારે ઉદ્યોગો શરૂ થઇ ગયા છે. જેમાં 5 લાખ જેટલા શ્રમિકો કામ કરી રહ્યાં છે.
રાજ્યમાં 40 હજારથી વધારે ઉદ્યોગો થયા શરૂ
રાજ્યમાં 5 લાખ જેટલા શ્રમિકો કરી રહ્યાં છે કામ
રાજ્યમાં દસ્તાવેજની કામગીરી થઇ શરૂ
અશ્વિની કુમારે જણાવ્યું કે આ સાથે જ રાજ્યમાં દસ્તાવેજની કામગીરી શરૂ થઇ ગઇ છે. નગરપાલિકા અને મહાનગર પાલિકામાં કામગીરી શરૂ થઇ ગઇ છે. જ્યારે આવતીકાલથી સસ્તા અનાજની દુકાનો પરથી પુરવઠો મળશે.
જેમાં NFSA હેઠળ નોંધાયેલા કાર્ડધારકોને મફતમાં અનાજ મળશે. જ્યારે NFSA હેઠળ ન નોંધાયેલા કાર્ડધારકોને અનાજ મળશે નહીં. આ સાથે કાર્ડના છેલ્લા આંક પ્રમાણે સરકારે વિતરણ વ્યવસ્થા ગોઠવી છે. ઘઉં, એરંડા, ચણાની આવક માર્કેટયાર્ડમાં થઈ રહી છે.
અનાજ વિતરણની તારીખો કરાઇ હતી જાહેર
આગામી 25મી તારીખથી વિતરણ શરૂ કરવામાં આવશે. પાંચ દિવસ NFSA અંતર્ગત 66 લાખ પરિવારોને ફરીથી રાશન આપવામાં આવશે. જેમાં વ્યક્તિ દીઠ ફરીથી 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા આપવામાં આવશે. આ તારીખે પુરવઠો લેવા ન જઈ શકે તેના માટે 30મી તારીખે વ્યવસ્થા કરવામાં આવશે.
રાશનકાર્ડમાં છેલ્લો આંક 1, 2 હશે તેમને 25મી એપ્રિલે
રાશનકાર્ડમાં છેલ્લા આંક 3, 4 હોય તેમને 26મી એપ્રિલે
રાશનકાર્ડમાં છેલ્લા આંક 5 , 6 હોય તેમને 27મી એપ્રિલે
રાશનકાર્ડમાં છેલ્લો આંક 7, 8 હોય તેમને 28મી એપ્રિલે
રાશનકાર્ડમાં છેલ્લો આંક 9, 0 હોય તેમને 29મી એપ્રિલે