આજે ગુજરાત વિધાનસભાનું એકદિવસીય સત્ર યોજવામાં આવ્યું હતુ જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકતા મુદ્દે સ્પષ્ટતા કરી હતી કે, હું ભારતીય નાગરિક છું. અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વિધાનસભાના વધારાના એક દિવસીય સત્ર પહેલા સીએમને પોતાની નાગરિકતા અંગે સ્પષ્ટતા કરવા કહ્યું હતુ જેના જવાબમાં આજે સીએમ રૂપાણીએ પોતે વિધાનસભામાં રજૂઆત કરી હતી.
નાગરિકત્વ મુદ્દે CM રૂપાણીની સ્પષ્ટતા
વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં કહ્યું મારો જન્મ બર્મામાં થયો હતો
"મારો જન્મ થયો ત્યારે મારા માતા-પિતા પાસે ભારતીય પાસપોર્ટ હતો"
વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં ખુલાસો કર્યો હતો કે, મારો જન્મ બર્મામાં થયો હતો. પણ મારો જન્મ થયો ત્યારે મારા માતા-પિતા ભારતીય પાસપોર્ટ ધરાવતા હતા. એટલે હું ભારતીય નાગરિક જ છુ. જન્મ બાદના બે વર્ષમાં જ હું ગુજરાત પરત આવી ગયો હતો.
શું કહ્યુ હતુ જીગ્નેશ મેવાણીએ?
ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી પર પ્રહાર કર્યા છે. મેવાણીએ જણાવ્યું કે, મ્યાનમાર (બર્મા)થી આવનાર રુપાણી સાહેબ પહેલા પોતાના પરિવારની નાગરિક્તા સિદ્ધ કરનારા દસ્તાવેજ ગુજરાતની પ્રજાને દેખાડે. જે બાદ ગુજરાતના સાડા 6 કરોડ લોકોને આ કાયદા અંતર્ગત નાગરિક્તા સિદ્ધ કરવા માટેના દસ્તાવેજ માંગે.
CAA લાગુ કરવા બોલાવાયું વિશેષ સત્ર
ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું શિયાળુ સત્ર 11 ડિસેમ્બરે સમાપ્ત થયું હતું. જેના બાદ કેન્દ્ર સરકાર તરફથી લોકસભા અને રાજ્યસભામાં પાસ થયેલા નાગરિક્તા કાયદાને ગુજરાતમાં લાગુ કરવા માટે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે
નાગરિકત્વ મુદ્દે CM રૂપાણીની સ્પષ્ટતા
હું ભારતીય નાગરિક જ છુ. વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં કહ્યું મારો જન્મ બર્મામાં થયો હતો. "મારો જન્મ થયો ત્યારે મારા માતા-પિતા પાસે ભારતીય પાસપોર્ટ હતો". "બે વર્ષમાં હું ગુજરાત પરત આવી ગયો હતો".