બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM ભૂપેન્દ્ર પટેલ દ્વારિકા તથા જામનગરનું કરશે હવાઈ નિરીક્ષણ, પૂરની સ્થિતિનો મેળવશે તાગ
Last Updated: 10:31 AM, 23 July 2024
ગાંધીનગર: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં ચોમાસું જામેલું છે અને કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તથા જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા આજે બપોરે આ વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે જશે.
ADVERTISEMENT
દ્વારકા, જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે સર્જાયેલી સ્થિતિને લઈને CM ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બપોરે 3.45 કલાકે વિમાન દ્વારા જામનગર પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારબાદ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે મુખ્યમંત્રી બેઠક યોજીને સ્થિતિ વિશે જાતે માહિતી મેળવશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં વધુ 5 ઇંચ વરસાદ પડ્યો તો માણાવદરમાં 10 ઇંચ વરસાદ ખાબકયો છે. જૂનાગઢના વિસાવદરમાં 9 ઇંચ, સુરતના પલસાણા અને જૂનાગઢના કેશોદમાં સાડા સાત ઇંચ વરસાદ થયો છે. ત્યારે બારડોલી, કપરાડા, દ્વારકા, વાપી અને માળિયા હાટીનામાં પણ સાત-સાત ઇંચ વરસાદ થયો છે. આ સિવાય ચીખલી, કામરેજ અને ઉપલેટામાં પણ પાંચ-પાંચ ઇંચ વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ! થઈ અનરાધારની આગાહી, પણ 7 જિલ્લામાં રહેશે કોરાધાકોર
ત્યારે હાલમાં મળેલી માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકામાં વરસાદ ફરી શરૂ થયો છે, જિલ્લામાં છેલ્લા 2 કલાકમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે ભારે વરસાદથી 24 કલાકમાં 4 ગામ અસરગ્રસ્ત થયા છે. જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી 85 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.