લઠ્ઠાકાંડને લઇ CM ભૂપેન્દ્ર પટેલની બેઠક, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ, DGP, આરોગ્ય અધિક મુખ્ય સચિવ પણ ઉપસ્થિત રહ્યા
બરવાળા લઠ્ઠાકાંડ પર CM ભૂપેન્દ્ર પટેલની હાઈલેવલ બેઠક
બેઠકમાં નશાખોરો પર કાર્યવાહી કરવાના આદેશ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ રહ્યા ઉપસ્થિત
ગુજરાતમાં દારૂબંધી છે. બધાને ખબર છે. પણ ગલીએ ગલીએ દારૂ મળે છે, દેશી હોય કે ઈંગ્લિશ બુટલેગરો ઘર સુધી દારૂની ડિલીવરી આપે છે. પણ આ બધું કોની રહેમનજર હેઠળ થઈ રહ્યું છે એ મોટો સવાલ છે. આ દેશી દારૂ બનાવતા માફિયાઓ પર મીઠી નજર કેટલાક પરિવાર માટે જિંદગીભરની સજા બની ગઈ. કોઈએ ભાઈ ગુમાવ્યો, કોઈએ પતિ. તો કોઈએ પિતા અને કોઈએ દીકરો. બરવાળાના લઠ્ઠાકાંડની ચર્ચા આજે ચારેયકોર છે. પરિવારમાં આક્રંદ છે. બોટાદમાં થયેલા કથિત લઠ્ઠાકાંડમાં 35થી વધુ લોકોના મૃત્યુ થયાં છે અને અન્ય કેટલાક સારવાર હેઠળ છે ત્યારે સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે 7 કલાકે ગાંધીનગર ખાતે ખાસ બેઠક બોલાવી હતી.
'નશાનું વેચાણ કરનાર પર કાર્યવાહી કરવાના આદેશ'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કેમીકલ યુક્ત માદક દ્રવ્ય ના સેવનથી સર્જાયેલી ઘટના અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આવા પદાર્થો સહિતના નશાયુક્ત પદાર્થોના ગેરકાયદે વેચાણ કરનારાઓ સામે સખ્તાઈથી પેશ આવવા રાજ્યના પોલીસ દળને સ્પષ્ટ સૂચનાઓ આપી છે
'ગુનેગારોને કડકમાં કડક સજા કરો'
બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થયેલી આ ઘટના અંગે જે તપાસ સમિતિ રચવામા આવી છે તે ત્વરિત તપાસ પૂર્ણ કરી અહેવાલ આપે એટલું જ નહીં ગુનેગારો સામે કડક માં કડક કાયદાકીય કાર્યવાહી થાય તે માટે પણ સૂચના આપી હતી આ બેઠકમા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્હ્યું કે રાજ્યમા પોલીસ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરીને રેડ કરવામા આવી છે તેમજ અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા છે
गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने बोटाड में जहरीली शराब की घटना को लेकर एक उच्च स्तरीय बैठक की अध्यक्षता की और राज्य पुलिस बल को मादक पदार्थों के अवैध विक्रेताओं के खिलाफ सख्त कार्रवाई करने के लिए निर्देश दिया: CMO pic.twitter.com/MjjRFXZZ5Q
લઠ્ઠાકાંડમાં કેમિકલ પીવાનો DGPએ કર્યો ખુલાસો
બોટાદના લઠ્ઠાકાંડ મામલે ગુજરાતના DGP આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ખુલાસો કરતા જણાવ્યું કે, 'બોટાદના લઠ્ઠાકાંડમાં કેમિકલ પીવાના કારણે લોકોના મોત થયા છે. ગામના લોકોએ દારૂ નહી પરંતુ કેમિકલ પીધું. આ ઘટનામાં જયેશ ઉર્ફે રાજુ નામની વ્યક્તિ કે જે અસલાલી વિસ્તારમાં ગોડાઉનમાં કામ કરે છે. AMOS કોર્પોરેશન નામની જે કંપની છે ત્યાં મિથાઇલ આલ્કોહોલના બેરલ તે ગોડાઉનમાં મૂકે છે અને મિથાઇલ આલ્કોહોલના બેરલમાંથી અઢી લિટરની બોટલ બનાવવામાં આવે છે. કે જે ચાંગોદરની ફિનાર્ક નામની જે ઓરિજનલ કંપની છે ત્યાં એ અઢી-અઢી લિટરના કેમિકલ બનાવીને મોકલવામાં આવે છ.
ડીજીપીએ કહ્યું કે, 'જયેશના ફુઆના છોકરા સંજયને 600 લિટર કેમિકલ અપાયું. 600 લિટરમાંથી સંજય ઉર્ફે પિન્ટુ નામ શખ્સને આ કેમિકલ અપાયું. જયેશ કેમિકલ કંપનીના ગોડાઉનનો ઇન્ચાર્જ હતો. 600 લિટરમાંથી 200 લિટર કેમિકલ પિન્ટુને આપવામાં આવ્યું હતું. જેમાં પાણી મિલાવીને તેનું વેચાણ કરાતું. આ રીતે ગામમાં ટુકડે-ટુકડે મિથેનોલનું વેચાણ થયું હતું. હાલમાં 28 લોકોના મૃત્યુ થયા છે, જેમાંથી 2 લોકોના મૃત્યુ શંકાસ્પદ છે. 2 લોકોના PM રિપોર્ટ જાણ કરવામાં આવશે.'
કેમિકલના આ પદાર્થમાં 99% મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ જોવા મળ્યું
વધુમાં DGPએ જણાવ્યું કે, 'આ ઘટનામાં 24 કલાકની અંદર ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. મોટા ભાગના આરોપીઓ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે તેમજ FIR પર રજિસ્ટર કરવામાં આવી છે. કેમિકલ મિથાઇલ આલ્કોહોલમાં કુલ 460 લિટર કેમિકલ પણ કબજે કરવામાં આવ્યું છે. એ કેમિકલ પૈકી તેમાંથી સેમ્પલ લઇને તેને FSLમાં પણ મોકલવામાં આવ્યા છે. FSLની મદદથી તેમના બ્લડ સેમ્પલ પણ રાત્રે જ ગાંધીનગર મોકલવામાં આવેલા તેમજ કેમિકલને પણ મોકલવામાં આવેલું. જેમાં આ મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ સામે આવ્યું છે. કેમિકલના આ પદાર્થમાં 99% મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ જોવા મળ્યું છે.