એક માન્યતા એવી છે કે, શહેરમાં ધર્મના આધારે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ વસાહતો આવેલી હોય છે. આ વાતની ટીકા પણ થતી રહી છે. તો ક્યારેક આ વિભાજનને યોગ્ય ઠેરવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તર્ક પણ આપવામાં આવે છે કે, ધર્મ સંસ્કૃત્તિ અને ખાનપાનને નિર્ધારિત કરે છે એટલે તેના આધારે જુદા જુદા ધર્મોના લોકોની વસતી જુદી જુદી હોવી તે મોટી વાત નથી.પરંતુ એક રિસર્ચનો ડેટા સામે આવ્યો છે તે ચોક્કસથી મોટી વાત છે. આંકડાઓ અને તેના આધારે કરવામાં આવેલા સંશોધનમાં એ વાત સામે આવી છે કે શહેરનું વિભાજન માત્ર ધર્મ જ નહી પણ જાતિના આધારે પણ થયું છે.
ગુજરાતમાં જ્ઞાતિવાદનું સત્ય 2011ની વસતી ગણતરીના કારણે બહાર આવ્યું
આ પહેલા વસતી ગણતરીમાં વોર્ડ સ્તર પર થતી હતી
2011માં વસતી ગણતરી બ્લોકના આધારે કરવામાં આવી
આઝાદીના 7 દાયકા બાદ પણ શહેરીકરણ અને આધુનિકીકરણ પર વર્ણવ્યવસ્થા હાવી છે. અત્યાર સુધી માનવામાં આવતું હતું કે, શહેરીકરણ, ઉદારીકરણ અને આધુનિકીકરણના કારણે શહેરોમાંથી જાતિવાદ દુર થઈ રહ્યો છે. જાતિ અને ગૌત્ર જેવી રૂઢીચૂસ્ત પરંપરા ધૂંધળી બની જશે. પરંતુ આ ક્ષેત્રમાં કરવામાં આવેલું એક સંશોધન આ તમામ અપેક્ષાઓ પર પાણી ફેરવે છે. આ સંશોધન દર્શાવી રહ્યું છે કે, શહેરોમાં પણ વિસ્તારો જાતિના આધારે વસેલા છે. દલિતોને અન્ય સમાજના વિસ્તારોમાં મકાન મળવું મુશ્કેલ બને છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગાલુરુએ પ્રકાશિત કરેલા સંશોધનમાં અચરજ પમાડનાર આંકડાઓ સામે આવ્યા છે. આ સંશોધનમાં એ વાત સામે આવી છે કે,
1 દલિતોને શહેરી મહોલ્લામાં બહાર રાખવામાં ગુજરાત સૌથી આગળ છે.
2. રાજકોટમાં 80% સોસાયટીમાં કોઈ દલિત રહીશ નથી
3. કોલકાતા જેવા સમાજ સુધારાના આંદોલનના આગેવાન શહેરમાં પણ 60 ટકા સોસાયટીમાં દલિત નથી
4 બેંગાલુરુમાં ઇન્ફોરમેશન ટેકનોલોજીમાં ક્રાંતિ થયા બાદ પણ આધુનિક સોસાયટીઓમાં દલિતોની વસતી ઓછી છે
5 બેંગાલુરુના આધુનિક અપાર્ટમેન્ટમાં પણ દલિતોની સંખ્યા ઓછી છે
આ એક ભ્રમણા છે કે, શહેરમાં જાતિવાદ ઓછો છે
ગુજરાતમાં જ્ઞાતિવાદનું વિસ્ફોટક સત્ય 2011ની વસતી ગણતરીના કારણે બહાર આવ્યું. આ પહેલા વસતી ગણતરીમાં વોર્ડ સ્તર પર થતી હતી પરંતુ આ વસતી ગણતરી બ્લોકના આધારે કરવામાં આવી હતી. વોર્ડમાં 30 હજારથી લઈને 2 લાખ સુધીની વસતી હોવાથી આ પ્રકારનો સર્વે કરવો મુશ્કેલ હતો પરંતુ બ્લોક પ્રમાણે વસતી ગણતરીમાં 900ની આસપાસની સંખ્યામાં સર્વે થયો અને તેમાં આ આંકડાઓ સામે આવ્યા. અને એ વાતને તાર્કિક રદિયો મળી ગયો જેમાં માનવામાં આવતુ હતું કે, શહેરમાં જાતિવાદ ઓછો છે, જાતિવાદ માત્ર ગામડાની સમસ્યા છે, આધુનિકીકરણના અને શહેરીકરણને કારણે જાતિવાદ તૂટી જશે, શહેરોમાં અમીરી-ગરીબી, શિક્ષણ અને નોકરીના આધારે ભેદભાવ થાયે છે જાતિ આધારે નહી.
દેશમાં દલિતોને દૂર રાખવાનું ચલણ સૌથી વધુ ગુજરાતમાં છે
ગુજરાત અંગે દેશભરમાં એવો મત પ્રવર્તે છે કે અહી હિન્દુ મુસ્લીમો જ અલગ અલગ રહે છે. જોકે, આપણા રાજ્યના શહેરોમાં દલિતોને પણ પોતાના મહોલ્લાથી દૂર રાખવામાં આવી રહ્યા છે. દેશમાં દલિતોને દૂર રાખવાનું ચલણ સૌથી વધુ ગુજરાતમાં છે. ગુજરાતમાં આ હદે જાતિવાદ હોવાના સંભવિત કારણો રસપ્રદ છે.
શું છે જ્ઞાતિવાદનું કારણ?
ગુજરાત હજુ પણ સામાજિક જાગૃત્તિમાં પછાત છે. હજુ પણ જડ અને રૂઢીગત વર્ણવ્યવસ્થાનું વળગણ છે. પોતાની જાતિના મિથ્યા ગર્વના કારણે અન્યને તૂચ્છ ગણીને જાતિવાદ કરવામાં આવે છે. પોતાની જાતિનો વટ પાડીને વરચસ્વ દેખાડવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. તેના કારણે પણ જ્ઞાતિવાદ ફેલાયો છે. તો પોતાના સંતાન આંતરજાતીય લગ્ન ન કરે તેવા ડરના કારણે દલિતોને સોસાયટીમાં મકાન નથી આપતા. કેટલાક લોકો અનામતની ઇર્ષાના કારણે જાતિવાદની જકડમાંથી બહાર નથી નિકળી શકતા. કેટલાક લોકો પોતાની સામે એટ્રોસિટીની કલમનો ખોટો ઉપયોગ થશે તે ડરના કારણે દલિતોથી દુરી બનાવે છે. અને જ્ઞાતિવાદ ફેલાવાનું સૌથી મોટુ કારણ જ્ઞાતિ આધારિત ગીતો પણ છે. કમાણી કરવા માટે કલાકારો જ્ઞાતિને ભડકાવતા ગીતો તો બનાવે છે પરંતુ તેની આડ અસર સમાજ પર પડે છે. આ ઉપરાંત ભોજનમાં પણ ભેદ હોવાને કારણે ઘણા લોકો ભેદભાવ કરે છે. આ બધાથી પર પોતાની રાજનીતિ ચમકાવવા માટે નેતાઓ જ્ઞાતિવાદને હથિયાર બનાવે છે.
વિરોધાભાસને કારણે જ સ્થિતિ અંકુશમાં નથી
ગુજરાતમાં જ્ઞાતિવાદના આ આંકડા શરમજનક હોવાની સાથે ચિંતાજનક પણ છે. આપણે 21મી સદીમાં મહાસત્તા બનવાના સપના જોઈએ છીએ. ચડવી છે હિમાલય પર અને મૂખ હિંદ મહાસાગર તરફ છે. આ વિરોધાભાસને કારણે જ સ્થિતિ અંકુશમાં નથી
શહેરનું વિભાજન માત્ર ધર્મ જ નહી પણ જાતિના આધારે પણ થયું છે
ધર્મ સંસ્કૃત્તિ અને ખાનપાનને નિર્ધારિત કરે છે . એટલે તેના આધારે જુદા જુદા ધર્મોના લોકોની વસતી જુદી જુદી હોય. એક રિસર્ચનો ડેટામાં મોટી વાત સામે આવી. શહેરનું વિભાજન માત્ર ધર્મ જ નહી પણ જાતિના આધારે પણ થયું છે
અવધારણા શું હતું?
શહેરીકરણ ઉદારીકરણ અને આધુનિકીકરણના કારણે જાતિવાદ દુર થઈ રહ્યો છે
જાતિ અને ગૌત્ર જેવી રૂઢીચૂસ્ત પરંપરા ધૂંધળી બની જશે
ભ્રમ તૂટયો
શહેરમાં જાતિવાદ ઓછો છે
જાતિવાદ માત્ર ગામડાની સમસ્યા છે
આધુનિકીકરણના અને શહેરીકરણને કારણે જાતિવાદ તૂટી જશે
શહેરોમાં અમીરી-ગરીબી, શિક્ષણ અને નોકરીના આધારે ભેદભાવ થાયે છે જાતિ આધારે નહી.
ગુજરાતમાં જ્ઞાતિવાદના સંભવિત કારણો
1. ગુજરાત હજુ પણ સામાજિક જાગૃત્તિમાં પછાત છે
2. હજુ પણ જડ અને રૂઢીગત વર્ણવ્યવસ્થાનું વળગણ છે
3. પોતાની જાતિના મિથ્યા ગર્વના કારણે અન્યને તૂચ્છ ગણવા