આજે અયોધ્યા કેસનો ઐતિહાસિક ચુકાદો આવવાનો છે. સુપ્રીમકોર્ટ કેસનો ચુકાદો આપશે ત્યારે રાજ્યભરમાં સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ચુકાદાને પગલે કયાંક છમકલા ન થાય તેની પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, મહેસાણા, ઉ.ગુજરાત સહિતના સંવેદનશીલ જિલ્લાઓમાં સેનાની મદદ લેવામાં આવી છે.
અમદાવાદમાં સુરક્ષા સજ્જડ
અયોધ્યાના ચુકાદને પગલે શહેરમાં સજ્જડ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીઓની રજા રદ્દ કરાઇ છે. ફુટ પેટ્રોલિંગ, મોબાઈલ પેટ્રોલિંગ,S RPના પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે. ડીસીપી કક્ષાના અધિકારીઓને પેટ્રોલિંગમાં નીકળવા આદેશ અપાઈ ગયા છે. લાઠી, હેલ્મેટ સહિતના સાધનો સાથે પેટ્રોલિંગ કરવા પોલીસ કમિશનરનો આદેશ છે.
સુરતમાં ચાંપતો બંદોબસ્ત
સુરતમાં અયોધ્યા કેસના ચુકાદાને પગલે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે..અને સુરતવાસીઓને અફવાથી દુર રહેવા અપીલ કરી છે.કે શાંતી અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ચુસ્ત સુરક્ષા ગોઠવી દેવામાં આવ્યો છે.. હાલ પોલીસ તમામ વિસ્તારોમાં ચાંપતી નજર રાખી રહી છે.
રાજકોટમાં સઘન પોલીસ ચેકિંગ
રાજરોટમાં અયોધ્યા કેસના ચુકાદાને પગલે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં પોલીસે ચેકિંગ હાથ ધરશે.સુરક્ષાને લઈ ગઈકાલે ઉચ્ચ અધિકારીઓ સામે બેઠક મળી હતી.આ બેઠકમાં તમામ પોલીસ સ્ટાફની રજા રદ કરવામાં આવી છે.અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યાવસ્થા વધારાઈ છે.
વડોદરામાં સઘન સુરક્ષા વ્યવસ્થા
વડોદરામા સુરક્ષાને લઈને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ. તમામ પોલીસ અધિકારી, કર્મચારીઓની રજા રદ્ કરવામાં આવી. શહેરના વાડી, પાણીગેટ, માડવી, નવાપુરામાં સજ્જડ સુરક્ષા કરવામાં આવી છે. ફતેપુરા, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન પર સુરક્ષા વધારાઈ. પોલીસ, SRP, CRPFના જવાનો જોડાશે સુરક્ષા બંદોબસ્તમાં છે.