ગુજરાતને 975 મેટ્રીક ટનથી વધુ ઓક્સિજન નથી મળતો: સરકાર
કોરોનાની સ્થિતિ મુદ્દે ગુજરાતના ચીફ સેક્રેટરી અનિલ મુકિમ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. સોગંદનામામાં કેન્દ્ર તરફથી પુરતો ઓક્સિજન ન મળતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. ગુજરાતને 975 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન નથી મળતો ન હોવાની વાત ગુજરાત સરકારે કરી છે. સાથે સરકારે કહ્યું કે, ઓક્સિજનના અભાવે દર્દીઓની હોસ્પિટલમાં સારવાર થતી નથી.
મહત્વનું છે કે, રાજ્યોમાં સરકારોની કામગીરીને લઈ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ નજર રાખી રહી છે. ત્યારે ગુજરાત સરકારના ચીફ સેક્રેટરીએ સુપ્રીમ કોર્ટમાં જાહેર કરેલા સોગંદનામામાં કેટલાક ખુલસા થયા છે. જેમાં ગુજરાત સરકારે કહ્યું કે, કોરોના સંક્રમણની ચેઈન તોડવા રાજ્યના 36 શહેરોમાં નિયંત્રણો લાગૂ કર્યા છે. સાથે હોસ્પિટલોમાં એડમિશન માટેની યુનિફોર્મ પોલિસી દાખલ કરી છે.
આ સાથે સરકારે પોતાની કામગીરી દર્શાવી કે, રાજ્યમાં અત્યાર સુધી 1.28 કરોડ રસીના ડોઝ અપાયા. સાથે ઓફલાઇન રજિસ્ટ્રેશન હાલ વ્યવસ્થા નહીં હોવાની પણ ગુજરાત સરકારની કબૂલાત કરી છે. ડિજિટલ પ્લેટફોર્મ સિવાય રજિસ્ટ્રેશન માટે હાલ કોઈ વ્યવસ્થા ન હોવાનો ખુલાસો થયો છે. અને સાથે દાવો પણ કર્યો છે કે, રાજ્ય સરકાર ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનની સુવિધા ઉભી કરશે. સોગંદનામામાં જણાવ્યું કે, આગામી 6 મેની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કોવિશિલ્ડના 3,95,920 ડોઝ ઉપલબ્ધ થશે. અને કોવેકસીનના 2,00,490 ડોઝ ઉપલબ્ધ છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 12,064 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 119 લોકોના મોત નિપજ્યા છે. તો પ્રથમ ઘટના છે કે, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા બીજી વખત સાજા થનારનો આંકડો વધુ છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 119 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8154 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 13,085 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 5,03,497 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ વધ્યા છે પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 775 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,46,385 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં 1,30,30,257 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,02,24,941 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 3744 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 93 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 903 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 306 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 648 કેસ, જ્યારે ગ્રામ્યમાં 390 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 386 કેસ અને ગ્રામ્યમાં 110 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...