મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ આજે પહેલી વખત દિલ્હી પ્રવાસે જઈ રહ્યા છે. જ્યા આજે તેઓ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત મોટા નેતાઓ સાથે મુલાકાત લેવાના છે.
ગુજરાતના મુખ્યમંત્રી આજે દિલ્હી યાત્રા પર
PM મોદી અને અમિતશાહ સાથે લેશે મુલાકાત
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સાથે પણ લેશે મુલાકાત
ગુજરાતના નવા મુખ્યમંત્રી આજે એક દિવસની દિલ્હી યાત્રા પર જશે જ્યા તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડૂં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત લેશે. મુખ્યમંત્રી બન્યા બાદ આ તેમની પહેલી દિલ્હી યાત્રા છે. જેથી એવું માનવામાં આવી રહ્યું કે દિલ્હી મુલાકાત બાદ તેઓ કોઈ મોટા નિર્ણય લઈ શકે છે.
મુખ્યમંત્રી બન્યા બાદ પહેલી વખત દિલ્હીની યાત્રાએ
આપને જણાવી દઈએ કે દિલ્હીમાં તેઓ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રકાશ નડ્ડા સાથે પણ મુલાકાત લેવાના છે. ગત સોમવારે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી ત્યારબાદથી નવા મુખ્યમંત્રી રાજકારણમાં સક્રિય જોવા મળી રહ્યા છે.
નવા મંત્રીમંડળમાં 24 મંત્રીઓએ શપથ લીધા
મુખ્યમંત્રી બન્યા બાદ 2 દિવસમાં તેમણે મંત્રીમંડળમાં પણ ફેરફાર કર્યો. જેમા ગત ગુરુવારે તેમના મંત્રીમંડળના કુલ 24 મંત્રીઓએ શપથ લીધા હતા. જોકે જે રીતે ગુજરાતમાં રાતોરાત સરકાર બદલવામાં આવી તેજ રીતે કર્ણાટકમાં પણ યેદિયુરપ્પાએ અને ઉત્તરાખંડમાં તીરથ સિંહ રાવતે રાજીનામું આપ્યું હતું અને ત્યા પણ ભાજપ દ્વારા નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું.
અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મ અમદાવાદમાંજ થયો છે. સાથેજ તેઓ અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય પદ પર હતા. આ પદ પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પાસે હતું. જેઓ હાલમાં ઉત્તરપ્રદેશમાં રાજ્યપાલ તરીકે કાર્યરત છે.