છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના છત્રાલી ગામની પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસમાં મોટી મુશ્કેલી પડી રહી છે.
શાળાનું બિલ્ડીંગ જર્જરિત
બાળકોને અભ્યાસમાં મુશ્કેલી
આવી હાલતમાં ભણશે ગુજરાત?
પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 105 બાળકો છે. પરંતુ શાળાનું મકાન છેલ્લા કેટલાંય વર્ષોથી જર્જરિત હાલતમાં હોવાથી બાળકો CRCના મકાન તથા શાળા કાર્યાલયમાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે.
પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારી હોવાના દાવા પોકળ
CRCના મકાનમાં લાઇટ ન હોવાથી વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. સરકાર પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારી હોવાના દાવા કરી રહી છે ત્યારે છત્રાલીનું શાળામાં બાળકો દયનીય સ્થિતિમાં અભ્યાસ કરી રહ્યા છે.
બાંધકામમાં થયો ભ્રષ્ટાચાર
છત્રાલીની શાળાનું બિલ્ડીંગ એક વર્ષમાં જ જર્જરિત થયું છે ત્યારે આ બિલ્ડીંગના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ નકારી શકાય એમ નથી. તો સરકાર આ મામલે પણ તપાસ કરાવે એ જરૂરી છે.
સવાલો
જર્જરિત બિલ્ડીંગમાં ભણશે ગુજરાત?
બાળકોની અભ્યાસની દયનીય હાલત માટે જવાબદાર કોણ?
શાળાનું બિલ્ડીંગ બનાવતી વખતે ભ્રષ્ટાચાર થયો?
છેલ્લા કેટલાંય વર્ષથી જર્જરિત બિલ્ડીંગ સામે કેમ ન બન્યું નવું મકાન?
શું પંચાયતને નવું મકાન બનાવવામાં રસ નથી?
વિદ્યાર્થીઓની મુશ્કેલી કેમ ધૃતરાષ્ટ્ર સમાન અધિકારીઓને દેખાતી નથી?
શાળામાંથી આવી રીતે ડ્રોપ આઉટ રેશિયો ઓછો થશે?
દેશના ભવિષ્ય સમાન બાળકોના અભ્યાસની આવી દુર્દશા કેમ