જો દિલ્હી અને પંજાબની જનતાને મફત વીજળી મળી શકે તો ભાજપ સરકાર ગુજરાતની જનતાને મફત વીજળી કેમ નથી આપી રહી : AAP
AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ અમદાવાદ મુલાકાતે
અમદાવાદમાં આમ આદમી પાર્ટીનો ટાઉનહોલ કાર્યક્રમ
ગુજરાતને પણ મળી શકે છે મફત વીજળી: અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીએ ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં ફ્રી વીજળી આંદોલન શરૂ કર્યું છે. જેમાં મુદ્દો છે કે, જો દિલ્હી અને પંજાબની જનતાને મફત વીજળી મળી શકે તો ભાજપ સરકાર ગુજરાતની જનતાને મફત વીજળી કેમ નથી આપી રહી ? વીજળી મુદ્દે પણ અરવિંદ કેજરીવાલ સાથે વીજળી સંવાદ શરુ થઈ ગયો છે.અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જનતાએ જએ લોકોને ચૂંટયા તે લોકો જલસા કરી રહ્યા છે. તેમનું વીજળી બિલ ઝીરો આવે છે. જ્યારે સામાન્ય જનતાને હજારો રૂપિયાનું વીજળી બિલ આવે છે.
દર અઠવાડિયે ગુજરાત આવીશ: કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આજે વૈષ્ણવદેવી સર્કલ પાસે ટાઉન હોલ સસ્તી વીજળી મુદ્દે અરવિંદ કેજરીવાલ સાથે વીજળી સંવાદ ચલી રહ્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું હવે દર અઠવાડિયે ગુજરાત આવીશ.
Ahmedabad, Gujarat | We made electricity free upto 300 units (in Punjab). Even Gujarat can have the same, I will present the solution for it during my next meet on Sunday: AAP National convenor & Delhi CM Arvind Kejriwal pic.twitter.com/Iw65E2ma09
ફ્રી વીજળી આંદોલનમાં સંબોધન દરમ્યાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ખેડૂતોને રાત્રે વીજળી મળે છે. તો મને કહો રાત્રે વીજળી શું કામ આપતા હશે. આ સાથે તેમણે કહ્યું હતું કે, મંત્રીઑને પણ રાત્રે વીજળી આપી કામ કરાવવું જોઈએ .
સસ્તી વીજળી મુદ્દે AAPનો ટાઉનહોલ કાર્યક્રમ
અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે ટાઉન હોલ ખાતે પણ ગુજરાતમાં ફ્રી વીજળી મુદ્દે ચર્ચા ચાલી રહી છે. આ સાથે આદિવાસી સમાજની સમસ્યા અને ખેડૂતોની સમસ્યાઓ પર અરવિંદ કેજરીવાલ મહત્વની ચર્ચા કરી રહ્યા છે. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હી જવા રવાના થશે.'