ઘણા વિવાદો અને ચર્ચાઓ બાદ દેશના બહુચર્ચિત સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ આખરે CBIને સોંપવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે આ કેસમાં CBIની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT)નું નેતૃત્વ ગુજરાત કેડરના અધિકારી મનોજ શશીધર કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત કેડરના અન્ય એક અધિકારી શ્રીમતી ગગનદિપ ગંભીર પણ આ ટીમના સભ્ય તરીકે છે.
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મોતનું રહસ્ય વધુને વધુ ઘેરું બનતું જાય છે. બિહાર પોલીસની ટીમ દ્વારા મુંબઈમાં આ મામલે તપાસ કરવામાં આવી છે. મુંબઈ પોલીસ પણ આ મામલે પગેરું મેળવવા પ્રયાસ કરી રહી છે. આ મામલો સત્તાવાર રીતે CBIને તપાસ માટે સોપવામાં આવ્યો છે.
આ કેસમાં CBIની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT)નું નેતૃત્વ ગુજરાત કેડરના અધિકારી મનોજ શશીધર કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત કેડરના અન્ય એક અધિકારી શ્રીમતી ગગનદિપ ગંભીર પણ આ ટીમના સભ્ય તરીકે છે. નોંધનીય છે કે મનોજ શશીધર CBIના જોઈન્ટ ડાયરેક્ટરના પદે છે. આ ઉપરાંત શ્રીમતી ગગનદિપ ગંભીર CBIમાં DIGના પદે ફરજ બજાવે છે. આ ઉપરાંત અનિલ યાદવ નામના IPS અધિકારી પણ આ ટીમના સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે સુશાંતના કથિત સુસાઈડ કેસના વિવાદે હવે રાજકારણનું સ્વરૂપ પણ ધારણ કર્યુ છે. આ કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર શંકાની સોય છે ત્યારે હાલમાં રિયા પોલીસની પકડની બહાર છે તેવા સમાચાર છે. આ ઉપરાંત સુશાંતની મોતની તપાસને લઈને બિહાર પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસ વચ્ચે પણ ઘર્ષણ હાલ દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
ઉલ્લેખનીય છે કે દેશભરમાં સુશાંતના કેસમાં CBI તપાસની માંગ ઉઠી હતી. ત્યાર બાદ આખરે કેન્દ્ર સરકારે આ તપાસ CBIને સોંપી હતી જેમાં હવે આ કેસ વધુ ચર્ચાનું કેન્દ્ર બનશે.