ગુજરાત કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય..ટેકાના ભાવે તુવેરની ખરીદી 90 દિવસ સુધી રહેશે ચાલુ..તો ખેડૂતો ચણાનું રજીસ્ટ્રેશન 28 ફેબ્રુઆરી સુધી કરાવી શકશે.
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
ટેકાના ભાવે તુવેરની ખરીદી સતત 90 દિવસ ચાલશે
રાજ્યના ખેડૂતોને થશે લાભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાયેલ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં રાજ્યના ખેડૂતોને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે.
ટેકાના ભાવે તુવેરની ખરીદી સતત 90 દિવસ સુધી થશે
રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ટેકાના ભાવે તુવેરની ખરીદી સતત 90 દિવસ સુધી ચાલુ રહેશે. તો ખેડૂતો જીસ્ટ્રેશન 28 ફેબ્રુઆરી સુધી કરાવી શકશે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, 2 લાખ 52 હજાર ખેડૂતોએ ટેકના ભાવે ચણા વેચાણ રજીસ્ટેશન કરાવ્યું છે અને વધુમાં વધુ ખેડૂતોને જોડાવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.
એફિડેવિટમાંથી અપાઈ મુક્તિ
કેબિનેટ બેઠક બાબતે પ્રવકતા મંત્રી જીતુ વાઘણીએ લેવાયેલા નિર્ણય પર માહિતી આપતા કહ્યું હતું કે મહેસુલ વિભાગે એફિડેવિટ માંથી મુક્તિનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત કરતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને અભિનંદન આપતા કહ્યું હતું કે કેટલીક જગ્યાએ અમલવારીનો પ્રશ્ન થતો હતો જેથી હવે મહેસૂલી કામમાં એફિડેવિટ માંથી મુક્તિ આપી દેવામાં આવશે. જેથી CMએ સેલ્ફ ડિકરેશન બાબતે મુખ્ય સચિવને સૂચના આપી છે.
રોડ રિસરફેસ અને ખેલ મહાકુંભ વિષે શું કહ્યું?
14500 કિલોમીટરના રોડ રિસરફેસ કર્યા એ ખૂબ સારી વાત છે, પણ ગુજરાતમાં છે કેટલા કિલોમીટરના રોડ અને તૂટ્યા કેટલા વધુ વિગત લઈ લઉં છું. 14500નો આંકડો ઓછો ના કહેવાય. ખેલ મહા કુંભ નું પોર્ટલ આવતીકાલે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ના હસ્તે ખુલ્લું મુકવામાં આવશે જેમાં હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. જિલ્લા દીઠ 150 અને રમતવીરો ભાગ લેશે સાથે 252 તાલુકા માં 50 જેટલા રમતવીરો હાજર રહેશે. આખો કાર્યક્રમ લાઈવ થશે.આ વખતે યોજાનાર આ ખેલમહાકુંભમાં 45 લાખ રમતવીરો ભાગ લેશે