ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ તરખી C R પાટીલની વરણી બાદ હવે ગુજરાત કેબિનેટના વિસ્તરણની હિલચાલ શરૂ થઈ ગઈ હોવાનો ગાંધીનગરમાં ગણગણાટ છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલ સાથે મસલત કરતા જ ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે ત્યારે આવો જાણીએ કે કોને મળશે નવા મંત્રી મંડળમાં સ્થાન અને કોને મળશે વિદાય?
ગુજરાત કેબિનેટનું વિસ્તરણ થશે
કોનો સમાવેશ કરાશે
કોને કરાશે કેબિનેટથી બહાર?
કેબિનેટના વિસ્તરણની સંભાવના સેવાઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજયરૂપાણીએ રાજ્યપાલ સાથે આ અંગે મસલત કરી છે. ત્યારે રાજનૈતિક વર્તુળોમાં હાલ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે કોણ કેબિનેટમાં ઈન થશે અને કોણ આઉટ થશે?
કોને કેબિનેટમાં સ્થાન મળવાની સંભાવના?
ગુજરાતની નવી કેબિનેટમાં ગુજરાત ભાજપના પૂર્વપ્રમુખ જીતુ વાઘાણીનો સમાવેશ કરવામાં આવી શકે છે એટલું જ નહીં પરંતુ આત્મારામ પરમારને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
કોને કોને પડતા મુકાઈ શકે?
ગાંધીનગરના રાજનૈતિક વર્તુળોમાં હાલ ચર્ચા છે કે, ઇશ્વર પરમાર, આરસી ફળદુને નવી કેબિનેટમાંથી પડતા મુકાઈ શકે છે. એટલું જ નહીં પરંતુ મહામારીમાં સુરતમાં હાલ જે રીતની સ્થિતિ છે તે જોતા આરોગ્યમંત્રી કુમાર કાનાણીને પણ પડતા મુકાવામાં આવી શકે તેવી સંભાવના છે.
આત્મરામ પરમાર અને વાધાણીની મંત્રીમડળમાં સમાવી શકે