ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી નજીક આવતા જ ભાજપ-કોંગ્રેસે સામ સામે આકરા પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પક્ષ પલટુઓ સામે મોરચો ખોલ્યો હોય તેમ ટ્વીટ કરીને આકરા પ્રહારો કર્યા છે.
કોંગી નેતા પરેશ ધાનાણીએ પક્ષપલટું ધારાસભ્યો પર કર્યા પ્રહાર
કહ્યું- 16-16 કરોડમાં વેચાયા છે ધારાસભ્યો
અક્ષય પટેલે જવાબ આપ્યો હતો કે, મેં ખેડૂતો માટે વેચાયો છું
નોંધનીય છે કે, ગદ્દાર જયચંદો જવાબ આપોના હેસટેગ સાથે કોંગ્રેસી નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ છે. તો એવું પણ લખ્યું કે, પ્રજાના મતરૂપી દાનનું વેચાણ શું કામે કર્યુ?. તો ધાનાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, 16-16 કરોડમાં કોણ કોણ વેચાયું?
આપને જણાવી દઇએ કે, વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર પક્ષપલટુઓને ખરીદવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે પક્ષપલટો કરી ભાજપમાં જોડાયેલા અને કપરાડા બેઠક પર ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનાર જીતુ ચૌધરીએ ખુલીને જવાબ આપ્યો છે. ચૌધરીએ કહ્યું કે કોંગ્રેસ પાસે અત્યારે કોઈ મહત્વનો મુદ્દો નહીં હોવાથી બિનજરૂરી આક્ષેપો કરી રહ્યા છે.. અને પક્ષપલટુઓની વાત પર તેઓએ કોંગ્રેસને સણસણતો સવાલ કર્યો કે, વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે પણ ભાજપના આયાતી ઉમેદવારને જ ટિકિટ આપી અને તેમની સામે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.
પ્રતાપ દુધાતે જે.વી.કાકડિયા પર પણ લગાવ્યા આરોપ
ધાનાણીએ કોંગ્રેસ છોડનારા સભ્યો પર 16 કરોડ લીધા હોવાનો લગાવ્યો આરોપ લગાવ્યા બાદ સાવરકુંડલાના MLA પ્રતાપ દુધાતે પણ જે.વી.કાકડિયા પર પણ લગાવ્યા આરોપ લગાવ્યા હતા. તેમણે પણ કહ્યું કે, કાકડિયાએ 16 કરોડ લીધા છે. જો કે, આ નિવેદબાદ જે.વી.કાકડિયાએ પ્રતાપ દૂધાતને માનહાનિની નોટિસ ફટકારી હતી. તેમણે કહ્યું કે, પ્રતાપ દૂધાતે કહ્યું કાકડિયાની સંપત્તિ 300 ગણી વધી છે
શબ્દશરણ બ્રહ્મભટ્ટે પરેશ ધાનાણી પર કટાક્ષ કર્યો
આ તરફ ભાજપ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટે પરેશ ધાનાણી પર કટાક્ષ કર્યો હતો. ધાનાણીને ટ્વીટ કર્યા સિવાય કોઈ કામ નથી અને ધારાસભ્યો વેચાયા હોય તો તેઓ સાબિત કરે. ભાજપના વિકાસ કામો મુદ્દે ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. લોકો ભાજપના ઉમેદવારને વિજયી બનાવી કોંગ્રેસને જવાબ આપશે
ધાનાણીના આક્ષેપનો અક્ષય પટેલે જવાબ આપ્યો
ધાનાણીના આક્ષેપનો અક્ષય પટેલે જવાબ આપ્યો હતો કે, મેં ખેડૂતોને 25 કરોડ અપાવ્યા છે. હું ખેડૂતો માટે વેચાયો છું અને મેં એકપણ રૂપિયો લીધો નથી.
બ્રિજેશ મેરજાએ વળતો પ્રહાર કર્યો
પક્ષપલટા મુદ્દે પરેશ ધાનાણીના પ્રહાર પર મોરબી ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ વળતો પ્રહાર કર્યો હતો, તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાસે પેટાચૂંટણીમાં લડવા જેવા કોઇ મુદ્દા નથી અને મુદ્દા વિહોણી કોંગ્રેસ જૂની કેસેટ વગાડી રહી છે