ભાજપ કોંગ્રેસ પેટાચૂંટણીનો પોતાની પ્રતિષ્ઠાનો જંગ બનાવી એડી ચોટીનું જોર ચૂંટણી જીતવા લગાવી રહ્યા છે ત્યારે અર્જુન મોઢવાડિયાએ C R Patil પર અનેક ગુના સબબ કેસ ચાલતા હોવાનો આક્ષેપ કર્યો હતો જેના જવાબમાં C R patil પણ મેદાનમાં આવીને કહ્યું હતુ કે, મારા પર એક પણ કેસ હોય તો હું રાજનીતિ છોડી દઈશ.
રાજ્યની પેટા ચૂંટણીમાં નેતાઓનો વાર પલટવાર
કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાની પત્રકાર પરિષદ
સીઆર પાટીલની ચેલેન્જ બાદ મોઢવાડિયાની પ્રેસ
રાજ્યની પેટાચૂંટણીઓમાં નેતાઓ એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે ભાજપ પ્રમુખ C R Patil જણાવ્યું હતુ કે, મારી પર એક પણ કેસ નથી જો કોઈ સાબીત કરે તો હું રાજનીતિ છોડી દઈશ જેના જવાબમાં આજે કોંગ્રેસના નેતા મોઢવાડિયાએ ડોક્યુમેન્ટ સાથે પુરાવા રજૂ કર્યા હતા અને જણાવ્યું હતુ કે, સીઆર પાટીલ પર અનેક કેસ છે.
શું કહયુ C R Patil?
ક્ચ્છ અબડાસામાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સભામાં સી.આર.પાટીલે અર્જુન મોઢવાડિયા પર નિવેદન આપતા જણાવ્યું હતુ કે, અર્જુન મોઢવાડીયા ખોટુ બોલે છે. મારા પર એકપણ કેસ હોય તો હું રાજનીતિ છોડી દઈશ. અમિત ચાવડા, ધાનાણી, હાર્દિક પટેલ કોંગ્રેસની હાર સમજી ગયા છે. અમે 8 બેઠકો પર વિજય મેળવીશું.
32 લક્ષણા ભાજપના પ્રમુખ સીઆર પાટીલ છે.,
ભૂતકાળમાં પોલીસ કોન્સ્ટેબલ હતા કેસ થયા છે. 1978માં દારૂના જથ્થો-બુટલેગરોની મદદના કારણે સસ્પેન્ડ થયા હતા. 1995 ઓક્ટોબરના સુરત કોર્પોરેશનને ઓક્ટ્રોટ મુદ્દે ફરિયાદ થઇ હતી
1984માં પોલીસ યુનિયન બનાવવા મુદ્દે ફરિયાદ થઇ હતી. 2002માં ડાયમંડ બેંક કૌભાંડમાં જેલવાસ ભોગવ્યો હતો. સીઆર પાટીલ સામે 107 કેસ નોધાયા છે. 32 લક્ષણા ભાજપના પ્રમુખ સીઆર પાટીલ છે.,