CM રૂપાણી અને સી.આર.પાટીલની VTV સાથે ખાસ વાતચીત ગોઠવી હતી ત્યારે જાણો કે ગુજરાતમાં પેટાચૂંટણી અને CM રૂપાણી CM રહેશે કે નહીં? આ વીશે શું મળ્યા જવાબો.
6 બેઠકો પર અત્યાર સુધી પ્રચાર કર્યો છે
લોકોમાં સરકારની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે
આઠેય આઠ બેઠક પર જીત મેળવીશું
CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસ આંતરિક વિખવાદથી તુટશે. કોંગ્રેસનો કોઇ ધારાસભ્ય ભાજપમાં નહી લઇએ. કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા છે. પક્ષપલટાનો અર્થ ખોટો કરાય છે. એક પક્ષમાંથી સીધા બીજા પક્ષમાં જાય તો પક્ષપલટો કહેવાય. આ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે ચૂંટણી લડી રહ્યાં છે. હવે પ્રજા નક્કી કરશે કે આ પક્ષપલટો છે કે નહી. અગાઉ કોંગ્રેસના નિશાન પર લડ્યા હતા હવે કમળના નિશાન પર લડે છે. કમલમમાં કોઇના આવવા પર પ્રતિબંધ નથી. રજૂઆત માટે કોઇ પણ વ્યક્તિ કમલમ આવી શકે છે. કોઇ ઉમેદવાર મંત્રી બનવાની વાત કરતા નથી. મંત્રીમંડળના વિસ્તરણની કોઇ શક્યતા નથી. ધારાસભ્ય તરીકે જ પોતાના વિસ્તારમાં કામ કરશે. રાહુલ ગાંધી કોંગ્રેસને સંભાળવામાં નિષ્ફળ રહ્યા
વ્યસન મુક્તિ માટે સરકાર અને સંસ્થાઓ પ્રયાસ કરી રહી છે
ગુજરાતની પ્રજામાં સંતોષ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીથી લોકો ખુશ છે. કોરોના કાળમાં સરકારની કામગીરી ઉત્તમ રહી. ચૂંટણી પરિણામથી સરકારને કોઇ ફેર નથી પડવાનો. શાસક પક્ષના ધારાસભ્યો ચૂંટાશે તો વિસ્તારને લાભ થશે. કોંગ્રેસ ખોટા આક્ષેપો લગાવી રહી છે. લોકો જાણે છે શાસક પક્ષના ધારાસભ્યો હશે તો વિકાસ ઝડપી થશે. ઝડપથી પાર્ટી સંગઠનની જાહેરાત કરાશે. BTPના MLAએ કરેલા કામ અશોભનીય છે. ગાંધી-સરદારના ગુજરાતમાં નૈતિક મુલ્યો છે. દારૂ માણસને બરબાદ કરે છે. ગુજરાતમાં દારૂબંધી વિચારણા બાદ કરાઇ છે. ગુજરાત સરકાર દારૂબંધીને વરેલી છે. વ્યસન મુક્તિ માટે સરકાર અને સંસ્થાઓ પ્રયાસ કરી રહી છે
CM બદલાવવાની વાત તદ્દન ખોટી છે: પાટીલ
ભાજપ પ્રદેશપ્રમુખ C R Patil એ જણાવ્યું હતુ કે, વ્યસનથી ભવિષ્યની પેઢીઓ બરબાદ થાય છે. CM બદલાવવાની વાત તદ્દન ખોટી છે. લોકોમાં ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. પાર્ટીમાં મુખ્યમંત્રી બદલવાની કોઇ ચર્ચા નથી. લોકોમાં કોઇ ભ્રમણા ન રહે તે માટે ખુલાસો કર્યો. સૌરાષ્ટ્રમાં હાઇવેનું સમારકામ થઇ રહ્યું છે. કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. NHIAના અધિકારીઓને સૌરાષ્ટ્ર મોકલાયા હતા. સરકારે NHIAને હાઇવેની સ્થિતિ અંગે રિપોર્ટ મોકલ્યો છે.
સરકારે લોકો માટે કરેલા કામથી વિજય મેળવીશું
C R Patil વધુમાં જણાવ્યું હતુ કે, સંગઠનમાં કાર્ય કરી શકે તેવા લોકોને તક અપાશે. ભાજપના મૂળ કાર્યકરોને જ જવાબદારી અપાશે. ખેડૂતોને ટેકાના ભાવથી વધુ ભાવ મળે છે તે ખુશીની વાત છે. ખેડૂતો નીચા ભાવે ન વેચે એટલા માટે ટેકાના ભાવે ખરીદી થાય છે. સારા ભાવ મળે તો ખેડૂત બજારમાં મગફળી વેચે છે. અમે ખેડૂતોને ઓછા ભાવ સામે ટેકો આપીએ છીએ. માર્કેટમાં ઓછો ભાવ હશે તો ટેકાના ભાવે અમે ખરીદી કરીશું. સરકારે લોકો માટે કરેલા કામથી વિજય મેળવીશું.