ભાજપ પોતાનુ જોવે તો સારૂ. પ્રજા જ મારી હાઇકમાન્ડ છે. અદાણી,અંબાણી માટે સરકાર નથી ગરીબ લોકો માટે હોવી જોઈએ. તો વળી તેમણે આરોપોનું ખંડન કરતા જણાવ્યું હતુ કે, કોંગ્રેસના મુસ્લિમ મતદારોને તોડી રહ્યા છે. આ નિવેદનનો જવાબ આપતા શંકરસિંહે કહ્યું કે મારા પર આક્ષેપ કરનારા ને ભૂતકાળ માં મેં ધારાસભ્ય બનાવ્યા છે.
પ્રજા મારી હાઇકમાન્ડ છે:બાપુ
અદાણી,અંબાણી માટે સરકાર નથી ગરીબ લોકો માટે હોવી જોઈએ:બાપુ
હનિફ પડેયારનો સમર્થન કરી રહ્યો છુ કોમવાદ નહી --બાપુ
ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણીનો રંગ જામ્યો છે. ત્યારે અબડાસા બેઠક પર અપક્ષ ઉમેદવાર અડીખમ ઉભો રહી ટક્કર આપી રહ્યા હોવાનું વાત સામે આવ્યું છે. અપક્ષ ઉમેદવારના પ્રચારમાં શંકરસિંહ વાઘેલાએ પ્રચાર કર્યો હતો. અબડાસા બેઠક પર અપક્ષ ઉમેદવાર હનીફ પડેયાર બંને રાજકીય પક્ષોને ટક્કર આપી રહ્યા છે. અબડાસા બેઠક પર લઘુમતી મતદારોની સંખ્યા 45 ટકા છે જેથી આ બેઠક પર ત્રી-પાંખીયો ચૂંટણી જંગ ખેલાયો છે.
શંકરસિંહ ભાજપના એજન્ટ બની કોંગ્રેસના મુસ્લિમ મતદારોને તોડી રહ્યા છે
બાપુએ લઘુમતી અપક્ષ ઉમેદવાર માટે બેઠકો કરતા કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આક્ષેપ કરતા કહ્યું કે, શંકરસિંહ ભાજપના એજન્ટ બની કોંગ્રેસના મુસ્લિમ મતદારોને તોડી રહ્યા છે. આ નિવેદનનો જવાબ આપતા શંકરસિંહે કહ્યું કે મારા પર આક્ષેપ કરનારા ને ભૂતકાળ માં મેં ધારાસભ્ય બનાવ્યા છે.
પ્રજા જ મારી હાઇકમાન્ડ છે
કચ્છ અબડાસા પેટા ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા એક પછી એક કોંગ્રેસના નેતાઓ અને ભાજપના નેતાઓને નિશાનો બનાવી રહ્યા છે. પુર્વ CM શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતુ કે, મને કોઇના સર્ટિફિકેટની જરૂર નથી. હનિફ પડેયારનો સમર્થન કરી રહ્યો છુ કોમવાદ નહી. ભાજપ પોતાનુ જોવે તો સારૂ. પ્રજા જ મારી હાઇકમાન્ડ છે. અદાણી,અંબાણી માટે સરકાર નથી ગરીબ લોકો માટે હોવી જોઈએ.