કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાએ પેટાચૂંટણીમાં પ્રચાર કરી રહેલા મેયર બીજલ પટેલ પર આકરા પ્રહાર કર્યા હતા.
પ્રચારમાં મેયરને ન નડ્યો કોરોનાઃ ખેડાવાલા
અમદાવાદના મેયર પર કોંગ્રેસ MLAના પ્રહાર
ઈમરાન ખેડાવાલે બીજલ પટેલ પર કર્યા પ્રહાર
કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાના મેયર પર પ્રહાર કર્યા છે. લીંબડીમાં પ્રચાર કરવા મુદ્દે ખેડાવાલાએ મેયર બીજલ પટેલને આડેહાથ લીઘા હતા.
અમદાવાદના મેયરને લીમડી પેટાચૂંટણીમાં પ્રચાર વખતે કોરોના ના નડયો જ્યારે અ.મ્યુ.કો ની સામાન્ય સભામાં તેમને કોરોના નું ભય નડતો હોય છે અને સભા ઓનલાઇન બોલાવે છે.જ્યારે ભાજપની સભામાં હજારો ની સંખ્યા વચ્ચે સંક્રમણનું ભય નથી દેખાતું પણ માત્ર અમદાવાદના ૧૯૨ નગરસેવકથીજ સંક્રમિત થઈ જાય છે? pic.twitter.com/pjLlkAW6TR
અમદાવાદના મેયર બીજલ પટેલ પર પ્રહાર કરતા ખેડાવાલાએ કહ્યું હતુ કે, લીંબડીમાં પ્રચાર કરતા મેયરને કોરોનાના ન નડ્યો? AMCની સભામાં તેમને કોરોનાનો ભય લાગે છે. 192 લોકોની સભામાં હાજર નથી રહેતા અને હજારોની ભીડમાં પ્રચાર કરવા ઉતરી પડ્યા? આ તે કેવી ગાઈડલાઈન છે?