ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠક પર પૈટાચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કરજણનો ગઢ જીતવા ભાજપ મરણિયું થઈને પ્રયાસ કરી રહ્યું છે એવામાં કેશુબાપાના સહારે પાટીદાર મતોને આકર્ષવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
કરજણ ચૂંટણી જીતવા ભાજપ કેશુભાઇ પટેલના સહારે
ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન
કેશુભાઇ પટેલના 100 કટઆઉટ પોસ્ટર
કરજણનો ગઢ જીતવા ભાજપ કેશુભાઇ પટેલના સહારો લઈ રહી છે. ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એટલું જ નહીં પણ કરજણમાં કેશુભાઇ પટેલના 100 કટઆઉટ પોસ્ટર ઉતર્યા છે. કરજણ ભાજપ ચૂંટણી કાર્યાલય ખાતે પોસ્ટર મુકાયા છે. પાટીદાર બહુમતી ધરાવતા ગામોમાં પોસ્ટર મુકાશે. ભાજપના કાર્યકરો શ્રદ્ધાંજલિ આપશે. પાટીદારોની સહાનુભૂતિ મેળવવા ભાજપનો પ્રયાસ઼઼ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.