કોંગ્રેસના 8 જેટલા ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. જેથી આ આઠેય બેઠકો પર હવે થોડાક દિવસોમાં પેટા ચૂંટણી યોજાવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ આ બેઠકો કબજે કરવા રણનીતિ શરૂ કરી છે. ભાજપે ચૂંટણીને લઇને ઇન્ચાર્જ બનાવ્યા તો કોંગ્રેસે નિરીક્ષકોને નિમણૂંક કરી છે.
ભાજપે કુંવરજી બાવળીયા અને ગોરધનભાઈ ઝડફિયાને ઈન્ચાર્જ બનાવ્યા
વિધાનસભાની પેટા ચુંટણી માટે કોંગ્રેસે નિરીક્ષકોની કરી નિમણૂક
કોંગ્રેસના સિનિયર નેતાઓને સોંપાઈ જવાબદારી
ભાજપ દ્વારા રાજયના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને ગોરધનભાઈ ઝડફિયાને આ બેઠકના ઈન્ચાર્જ બનાવ્યા છે. ભાજપમાં ફકત આત્મારામ પરમાર એક જ દાવેદાર હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું તેમજ આવતા દિવસોમાં કોંગ્રેસ દ્વારા પણ ચુંટણીને લઈને કાર્યક્રમો તેમજ લોકસંપર્ક શરૂ કરવાની તૈયારીઓ કરાઈ રહી છે.
ગુજરાત કોંગ્રેસના 8 ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. ત્યારે હવે આ 8 વિધાનસભાની પેટાચૂંટણી માટે નિરીક્ષકોની નિમણૂંક કરાઈ છે. આજે નિરીક્ષકોના નામની સત્તાવાર જાહેર કરાઇ છે.
વિધાનસભાની પેટા ચુંટણી માટે કોંગ્રેસે નિરીક્ષકોની નિમણૂંક કરી છે. જેમાં એક ઇન્ચાર્જ સાથે 3 કો-ઇન્ચાર્જની પણ નિમણૂંક કરાઈ છે. જેમાં અબડાસા બેઠકની જવાબદારી સી જે ચાવડાને, લીંબડી બેઠકની જવાબદારી જગદીશ ઠાકોરને, મોરબી બેઠકની જવાબદારી અર્જુન મોઢવાડિયાને સોંપી, ધારી બેઠકની જવાબદારી પૂંજાભાઈ વંશને સોપાંઇ, ગઢડા બેઠકની જવાબદારી શૈલેષ પરમારને, કરજણ બેઠકની જવાબદારી સિધ્ધાર્થ પટેલને સોંપાઇ, ડાંગ બેઠકની જવાબદારી ગૌરવ પંડ્યાને સોંપાઇ અને કપરાડાની જવાબદારી તુષાર ચૌધરીને સિરે છે.
મહત્વનું છે કે, કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામા આપતા બેઠક ખાલી થઈ છે. આ તમામ બેઠકો સાચવી રાખવી તે કોંગ્રેસ માટે મોટો પડકાર છે.