વારંવારની રજૂઆત અને કિસ્સાઓ બાદ પણ નેતાઓ સુધરવાનું નામ નથી લેતા કરજણ બેઠક પરથી અક્ષય પટેલ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યુ હચુ જ્યાં કોરોનાની ગાઈડલાીનના સરેઆમ ભંગ કરવામાં આવ્યો હતો.
કરજણ બેઠક પરથી અક્ષય પટેલની ઉમેદવારી સમયે કોવિડના નિયમનો ભંગ
પટેલ વાડી ખાતે મોટી સંખ્યામાં લોકો થયા ભેગા
500થી વધુ કાર્યકરોએ ભેગા થઇ નિયમોનો ઉડાવ્યો છેદ
વડોદરાના કરજણ બેઠક પરથી અક્ષય પટેલની ઉમેદવારી સમયે એકઠી થયેલી ભીડ પર અનેક સવાલો ઉભા થયા છે. અહીં પટેલ વાડી ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. 500થી વધુ કાર્યકરોએ ભેગા થયા હતા જેમાં દુર દૂર સુધી ક્યાંય સામાજિક અંતરનું નામો નિશાન જોવા મળતું ન હતું.
પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મ, ધારાસભ્ય શૈલેષ મહેતા,અમિત ઠાકરની હાજરીમાં સરેઆમ કોવિડના નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું. મહામારીના સમયમાં એવી ભીડ ચિંતાજનક ચોક્કસ છે. નેતાઓની બેદરકારીના કારણે એકઠી થયેલી આ ભીડના દ્વશ્યો અનેક વેધક સવાલ ઉભા કરે છે. અહી કોરોનાકાળમાં નેતાની સમજદારી અને વિવેકબુદ્ધિ પર પણ સવાલ થવા સ્વાભાવિક છે
સળગતા સવાલ
નેતાઓ કોરોનાની ગંભીરતા ક્યારે સમજશે ?
શું કોવિડ-19ના નિયમો નેતાઓને લાગૂ નથી પડતાં?
નિયમોનો ભંગ કરતા નેતો ક્યારે દંડાશે ?
શું કોરોનાના નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે?
શું આ ભીડથી સંક્રમણ વધુ નહીં ફેલાઇ ?
આ ભીડથી વધુ કોરોના વકરશે તો કોણ હશે જવાબદાર ?
જનતાના પ્રતિનિધિ ક્યારે તેની સામાજિક જવાબદારી સમજશે?
શું નેતાઓમાં સમજદારી અને વિવેકબુદ્ધિ જેવું કંઇ જ નથી ?