CM રૂપાણી અને C R patil આજે પેટાચૂંટણીના પ્રચાર માટે લીંબડી પહોંચ્યા હતા જ્યાં તેમણે કોંગ્રેસને ડુબતી પાર્ટી કહી હતી અને ચુંટણી થવાનું કારણ પણ કોંગ્રેસ જ હોવાનું જણાવ્યું હતુ.
CM રૂપાણીના લીંબડી પ્રવાસમાં કોંગ્રેસને લીધી આડે હાથ
3જી નવેમ્બરના છે અને 10મી નવેમ્બરના ચૂંટણી પરિણામ આવશે
CM રૂપાણી લીંબડી સભા સંબોધવા પહોંચ્યા હતા
ગુજરાતમાં 3જી નવેમ્બરના રોજ આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપતા આ બેઠકો ખાલી પડી હતી જેમાં લીંબડી બેઠક પર પ્રચાર કરવા CM રૂપાણી અને ભાજપ પ્રદેસ પ્રમુખ C R Patil પહોંચ્યા હતા.
CM રૂપાણીએ સભાને સંબોધતા જણાવ્યું હતુ કે, ગુજરાતમાં હાલ જે પેટાચૂંટણી થઈ રહી છે તે કોના કારણે થઈ રહી છે. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાંને કારણે જ ગુજરાતમાં ચુંટણી થઈ રહી છે. CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, ભાજપ આઠેય બેઠકો ભારે બહુમતી સાથે જીતશે. કોંગ્રેસ પાસે મુદ્દાઓ નથી એટલે ટ્વીટ કરે છે. કોંગ્રેસને હવે હાર દેખાઇ ગઈ છે. કોંગ્રેસ બિનલોકશાહી પ્રવૃતિ કરી રહી છે. અમારે વકરો એટલો જ નફો છે. નેતા વિહોણી કોગેસ છે.
C R Patil પણ જણાવ્યું હતુ કે, કોંગ્રેસ ઉમેદવારો જીત્યા બાદ પ્રજામા જોવા જ નથી મળતા. કોંગ્રેસને પોતાના પર જ વિશ્વાસ નથી. કોંગ્રેસ ટાઇટેનિક જાહજ છે ક્યારે પણ ડુબી શકે છે. લીંબડી સભામાં સી.આર.પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી બદલવાની ચર્ચા મુદ્દે નિવેદન સામે આવ્યું છે. પાટીલે કહ્યું હતુ કે, આપણા CM વિજય રૂપાણી છે અને રહેશે.