કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ સી. આર. પાટિલ પર કરેલા આક્ષેપો મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલે આકરી પ્રતિક્રિયા કરી છે.
મોઢવાડિયાના આક્ષેપો સામે પાટીલના પ્રહાર
સી. આર પાટીલની આકરી પ્રતિક્રિયા
"રાહુલ ગાંધી, સોનિયા ગાંધીનું રાજીનામુ માંગો"
ધારી ખાતે ચુંટણી પ્રચારમાં આવેલા સી. આર. પાટિલે જણાવ્યું હતું કે મોઢવાડિયાએ જુઠવાડીયા છે અને પેટાચૂંટણીમાં હાર ભાળી ગયેલા કોંગ્રેસના નેતાઓ ચુંટણી પ્રચારને ડાયવર્ટ કરવા માંગે છે. તેમના પર કોઈ કેસ નથી અને તેના પુરાવા સ્વરૂપે વર્ષ 2019નુ એફિડેવિટ પણ આપ્યુ હતું. કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા પાટીલે જણાવ્યું હતું કે કેસ તો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે છે. મોઢવાડિયાએ તેમનું રાજીનામુ માંગવું જોઈએ.
શું કહયુ C R Patil?
ક્ચ્છ અબડાસામાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સભામાં સી.આર.પાટીલે અર્જુન મોઢવાડિયા પર નિવેદન આપતા જણાવ્યું હતુ કે, અર્જુન મોઢવાડીયા ખોટુ બોલે છે. મારા પર એકપણ કેસ હોય તો હું રાજનીતિ છોડી દઈશ. અમિત ચાવડા, ધાનાણી, હાર્દિક પટેલ કોંગ્રેસની હાર સમજી ગયા છે. અમે 8 બેઠકો પર વિજય મેળવીશું.
32 લક્ષણા ભાજપના પ્રમુખ સીઆર પાટીલ છે.
ભૂતકાળમાં પોલીસ કોન્સ્ટેબલ હતા કેસ થયા છે. 1978માં દારૂના જથ્થો-બુટલેગરોની મદદના કારણે સસ્પેન્ડ થયા હતા. 1995 ઓક્ટોબરના સુરત કોર્પોરેશનને ઓક્ટ્રોટ મુદ્દે ફરિયાદ થઇ હતી
1984માં પોલીસ યુનિયન બનાવવા મુદ્દે ફરિયાદ થઇ હતી. 2002માં ડાયમંડ બેંક કૌભાંડમાં જેલવાસ ભોગવ્યો હતો. સીઆર પાટીલ સામે 107 કેસ નોધાયા છે. 32 લક્ષણા ભાજપના પ્રમુખ સીઆર પાટીલ છે.