ગુજરાત ભાજપમાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારના રાજીનામાંની ધમકીને પગલે ગુજરાત ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો જો કે તાબડતોડ CM રૂપાણી તેડુ આવતાની સાથે જ મામલો થાળે પડી ગયો હતો.
કેમ નારાજ હતા ગોવિંદ પરમાર?
શું કહ્યું CM સાથે મુલાકાત બાદ
શું આપી હતી ધમકી?
ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારની નારાજગીનો મામલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો દાવો કર્યો હતો કે, ઘીના ઠામમાં ઘી પડ્યુ છે. ૉઉમરેઠના ધારાસભ્યની નારાજગી દૂર થઇ છે. આજે મુખ્યમંત્રી સાથે બેઠક થઈ હતી જેમાં તેમની વાત સાંભળવામાં આવી હતી.
હું કોઈનાથી ડરતો નથી : ગોવિંદ પરમાર
CM સાથે મુલાકાત બાદ ગોવિંદ પરમાર કમલમ પહોંચ્યા હતા,. ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિવેદન સામે આવ્યું છે કે, હું કોઈનાથી ડરતો નથી. મારે CM કે મંત્રી મંડળથી કોઇ ફરિયાદ ન હતી. સ્થાનિક મુદ્દાઓને લઇ ફરિયાદ હતી. ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારે મોટો આક્ષેપ લગાવતા કહ્યું હતુ કે, મને કેટલાક લોકો હરાવવા માગતા હતા. સ્થાનિક લેવલના કેટલાક લોકો મને હરાવવા માગતા હતા. મારે કોઇના નામ નથી બોલવા. હું કોઈનાથી ડરતો નથી.
કેમ નારાજ હતા ગોવિંદ પરમાર?
અમૂલ ડેરી સંઘની ચૂંટણીમાં ગોવિંદ પરમાર ત્રણ વોટે હારી ગયા હતા અને આ માટે તેમને આણંદના સાંસદ મિતેષ પટેલ અને અન્ય સ્થાનિક ભાજપના સંગઠનને જવાબદાર ઠેરવ્યું છે. તેઓએ પોતાના વિરુદ્ધ કામ કરીને પોતાને હરાવ્યા હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. આ ઉપરાંત સરકારે ડેરી સંઘમાં નામાંકિત કરેલા સભ્ય પોતે પાર્ટી વિરુદ્ધ કામ કરતા હોવા છતાં તેઓને મૂકવામાં આવ્યા હોવાની વાતે તેઓ વધુ નારાજ થયા છે.
ગોવિંદ પરમાર આ અગાઉ રાજ્યસભા ચૂંટણી વખતે પણ પોતાનો રંગ બતાવી ચૂક્યા છે. માતરના ધારાસભ્ય કેશરીસિંહ સોલંકીની સાથે તેઓ પણ ક્રોસ વોટિંગ કરીને ભરતસિંહ સોલંકીની તરફેણમાં મત નાંખવાના હતા. જો કે ભાજપના શિર્ષસ્થ નેતાઓને ગંધ આવી જતા આ બન્ને ધારાસભ્યોને યેનકેન પ્રકારેણ મનાવીને પાર્ટીના વ્હીપ પ્રમાણે વોટ નંખાવ્યો હતો.
શું આપી હતી ધમકી?
ગોવિંદ પરમારે જાહેરાત કરી છે કે,મંગળવારે હું ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દઇશ. પરમારે ખુલાસો કર્યો હતો કે, મને ભાજપ સાથે વાંધો નથી પણ આણંદના સાંસદ મિતેશ પટેલ સાથે જ વાંધો છે તેથી હું ધારાસભ્ય છોડી રહ્યો છું પણ ભાજપમાં તો રહીશ જ. આ જાહેરાતના પગલે રૂપાણીએ પરમારને બોલાવવા પડ્યા છે.
મધ્ય ગુજરાતના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે ધારાસભ્યપદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરતાં ભાજપમાં સોપો પડી ગયો હતો. ધારાસભ્ય ગોવિંદ પરમારની રાજીનામાંની ચીમકીથી ચોંકી ઉઠેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોવિંદભાઇ પરમારને સાંભળવા તાત્કાલિક ગાંધીનગર બોલાવ્યા હતા. આ મુલાકાત પછી ગોવિંદ પરમારે પોતે રાજીનામું નહીં આપે એવી જાહેરાત કરી છે.