કરજણ બેઠક પર ઉમેદવારોનાં ખરીદ વેચાણ મુદ્દે બોલ્યાં સી.આર.પાટીલે કરેલ નિવેદનને લઈને ભાજપ અને કોંગ્રેસમાં ચર્ચા અને વાદ વિવાદના વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યુ છે.
કરજણ બેઠક પર ભાજપનો પ્રચાર
ઉમેદવારોનાં ખરીદ વેચાણ પર બોલ્યાં પાટીલ
"ભાજપમાં કોઇ ખરીદ વેચાણ થતું નથી"
કરજણ બેઠક પર ભાજપનો પ્રચારમાં શું કહ્યું હતુ ભાજપ પ્રમુખે
ભાજપમાં કોઇ ખરીદ વેચાણ થતું નથી. પરેશ ધાનાણીને ટ્વીટ સિવાય બીજો કોઇ ધંધો નથી. કોંગ્રેસના શાસનમાં શું થતું તે સૌ કોઇ જાણે છે. કોંગ્રેસમાંથી હવે ભાજપમાં કોઇને નહીં લેવાય. સંગઠન અને સરકાર વચ્ચે કોઇ મતભેદ નથી. કંડારીના ગુરૂકુળમાં ભાજપ હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક યોજાઈ હરતી. મધ્ય ગુજરાતના ધારાસભ્યો, સાંસદ અને મંત્રીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
કેમ થયા પાટીલ ખારા?
પરેશ ધાનાણીએ ધારાસભ્યો અને પક્ષપલટુઓ માટે કરેલી ટ્વીટને પગલે પાટીલ ખારા થયા હતા અને કહ્યું હતુ કે હવે કોંગ્રેસમાંથી કોઈને ભાજપમાં નહીં લેવામાં આવે.
કરજણ વિધાનસભા બેઠક માટે પ્રચારનો ધમધમાટ
C R Patilની મધ્ય ગુજરાતના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતની બેઠક મુજબ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. વિવિધ મોરચાના આયોજન અંગે સમીક્ષા કરી છે. પ્રચારની તૈયારીઓ અને રેલીઓના આયોજનનો રિપોર્ટ પણ લેવાયો છે.
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ જાહેર
8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
કઇ બેઠકો પર યોજાશે ચૂંટણી
રાજ્યમાં 8 બેઠક અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર મતદાન યોજાશે.