ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીને લઇને રાજકીય પારો દિવસે ને દિવસે સતત ઉપર જઇ રહ્યો છે. રાજ્યમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત્ છે, જ્યારે હાલમાં બીજી તરફ રાજ્યમાં ડબલ ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ચાર બેઠક પર જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અબડાસામાં પ્રચાર કરશે.
રાજ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણી
આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ચાર બેઠકો પર કરશે પ્રચાર
આજે સી.આર.પાટીલ અબડાસામાં કરશે પ્રચાર
રાજ્યમાં યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. બંને પક્ષો દ્વારા ચૂંટણીને લઇને પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કર્યા બાદ તેઓની ચૂંટણી સભાનું આયોજન કરી રહ્યાં છે.
ભાજપ દ્વારા ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છની અબડાસા બેઠક પર ચૂંટણી સભાને સંબોધન કરી શ્રીગણેશ કર્યાં છે. ત્યારે હવે આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની તેમજ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અલગ-અલગ જગ્યાઓ પર ચૂંટણી સભાઓ ગજવશે.
જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની રાજ્યમાં મોરબી, ગઢડા, લીંબડી અને કરજણ બેઠક માટે ચૂંટણી પ્રચાર કરશે. જ્યારે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ કચ્છમાં અબડાસા બેઠક પર ચૂંટણી પ્રચાર કશે. જ્યારે અન્ય કેબિનેટ મંત્રી પરસોત્તમ રુપાલા ધારી વિધાનસભામાં પ્રચાર કરશે.