ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટા ચુંટણીને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ 8 બેઠકોની પેટા ચુંટણી જે સપ્ટેમ્બર મહિનામાં યોજાવા જઈ રહી હતી તે તારીખ રદ થઈને વધુ લંબાવાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ માટેનું મુખ્ય કારણ રાજ્યમાં કોરોના વાયરસના વધી રહેલા કેસીસ ગણવામાં આવે છે. સૂત્રો અનુસાર કોરોના મહામારીના સમયમાં તંત્ર ચુંટણી યોજવા અસમર્થ છે.
8 બેઠકોની પેટાચુંટણી પાછી ઠેલાય તેવી સંભાવના
કોઈ પણ સમયે ચુંટણી થાય, ભાજપ તૈયાર છે: BJP પ્રદેશ પ્રમુખ C R પાટીલ
ગુજરાતમાં પેટાચુંટણીનું કોકડું હજી ગૂંચવાયું છે. રાજ્યમાં અમદાવાદ બાદ હવે વડોદરા, સુરત અને ભાવનગરમાં કોરોનાએ પોતાનો રાક્ષસી પંજો મુક્યો છે અને કોરોના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફેલાવાનો શરુ થયો છે એવામાં સપ્ટેમ્બર મહિનામાં પેટાચુંટણી યોજવા મુદ્દે હવે સવાલો ઉભા થયા છે અને સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે તે વધુ લંબાય તેવી શક્યતા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 10, 2020
કોઈ પણ સમયે ચુંટણી જીતવાની ભાજપની તૈયારી: C R પાટીલ
રાજ્યના 8 બેઠકો પર પેટા ચૂંટણી મુદ્દે ભાજપના પ્રદેશ અધ્યક્ષ C R પાટીલે જણાવ્યું હતું કે, કોઇ પણ સમયે ચૂંટણી આવે અમે પેટા ચૂંટણી માટે તૈયાર છીએ. નોંધનીય છે કે, અબડાસા, લીંબડી,કરજણ,ડાંગ,કપરાડા, મોરબી, ગઢડા, ધારી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે.
કયા કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપ્યું?
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારે જ માર્ચ મહિનામાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ ગત 15 અને 16 માર્ચ દરમિયાન રાજીનામાં આપ્યા હતા. આ ધારાસભ્યોમાં ગઢડાના પ્રવીણભાઈ મારું, લીમડીના સોમાભાઈ પટેલ, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારીના જે વી કાકડિયા અને ડાંગના મંગળભાઈ ગાવિતનો સમાવેશ થાય છે. બાદમાં હમણાં જૂનમાં વધુ ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં જેમાં કપરાડાના જીતુભાઇ ચૌધરી, કરજણના અક્ષય પટેલ અને મોરબીના બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે.
ભાજપે પેટા ચૂંટણી જીતવા કઈ બેઠક પર કોને આપી જવાબદારી છે?
અબડાસા વિધાનસભા
કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા- ભાજપ પ્રદેશ મહામંત્રી કે સી પટેલ