લોકસભા ચૂટણી બાદ ખાલી પડેલી ગુજરાતની સાતમાંથી 4 બેઠક પર પેટાચૂંટણી યોજાવાની કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરી છે. ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ જાણાવ્યું કે ગુજરાતની 4 બેઠક પર 21 ઓક્ટોબરના દિવસે મતદાન થશે અને 24મીએ મતગણતરી યોજાશે.
આજ તારીખોમાં મહારાષ્ટ્ર અને હરિયાણા રાજ્યની સામાન્ય વિધાનસભા ચૂંટણી પણ યોજાશે. ચૂંટણી કમિશનરે આજથી જ આ 4 બેઠકોના મતવિસ્તારમાં આચારસંહિતાની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણી બાદ ખાલી પડેલી અમરાઈવાડી, થરાદ વિધાનસભા અને સાથે રાજીનામાં બાદ ખેરાલું અને લુણાવાડા બેઠક પર પેટાચૂંટણી યોજાશે.
આમ ગુજરાતની 4 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે રાજ્યમાં જે બાકી બેઠક રહી છે તેમાં રાધનપુર, મોરવા હડફ અને બાયડમાં હાલ ચૂંટણી યોજાશે નહીં.
જો કે આ અગાઉ ચૂંટણી પંચે કહ્યું હતું કે ઉમેદવારે પોતાનો ક્રિમિનલ રેકોર્ડ અને સંપત્તિ અંગેની જાણકારી આપવી પડશે. 30 દિવસમાં ચૂંટણી ખર્ચની જાણકારી આપવી પડશે. આ સાથે ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરી.
CEC: By-elections to 64 constituencies across Arunachal Pradesh, Bihar, Chhattisgarh, Assam, Gujarat, Himachal Pradesh, Karnataka, Kerala, MP, Meghalaya, Odisha, Puducherry, Punjab, Rajasthan, Sikkim, Tamil Nadu, Telangana &Uttar Pradesh, to be held on Oct 21 ;counting on Oct 24 pic.twitter.com/qs1EXsEVbV
મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21મીએ મતદાન અને 24મીએ મતગણતરી
ગુજરાતની 4 વિધાનસભાની પેટાચૂંટણી સહિત મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણી 21મીએ મતદાન અને 24મીએ મતગણતરી યોજાશે. બંને રાજ્યમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે. જો કે આ સાથે ચૂંટણી પંચે ઉમેદવારોને પ્રચારમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે.