ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ખાલી પડેલી 8 બેઠકની પેટાચૂંટણી મુદ્દે આજે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ રાજ્યની પેટાચૂંટણી પાછી ઠેલાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે કાયદાકીયરીતે બેઠક ખાલી થયાના 6 મહિનામાં ચૂંટણી યોજવી પડે છે.
ગુજરાતની 8 બેઠકની પેટાચૂંટણી મુદ્દે લેવાઇ શકે છે નિર્ણય
કાયદાકીય રીતે બેઠક ખાલી થયાના 6 મહિનામાં યોજાય ચૂંટણી
કોરોનાની સ્થિતિને લઇ ચૂંટણીઓ ઠેલાઇ શકે છે પાછી
ગુજરાતની પેટાચૂંટણી પાછી ઠેલાય તેવી શક્યતાઓ છે. આજે પેટાચૂંટણી મુદ્દે નિર્ણય લેવાઇ શકે છે. ગુજરાતની ખાલી પડેલી 8 બેઠક મુદ્દે નિર્ણય લેવાઇ શકે છે. કાયદાકીય રીતે બેઠક ખાલી થયાના 6 મહિનામાં ચૂંટણી કરવાની હોય છે. જેને લઇને આગામી 14 સપ્ટેમ્બરે 6 મહિના પૂર્ણ થાય છે
આ સાથે કાયદાકીય રીતે ચૂંટણી પ્રક્રિયા એક મહિનો ચાલે છે. પરિણામના દિવસ કરતા એક મહિના અગાઉ જાહેરનામું બહાર પાડવામાં આવે છે. આજે જાહેરનામું બહાર પાડવાનો અંતિમ દિવસ છે. જો કે રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇ ચૂંટણીઓ પાછી ઠેલાઇ શકે છે.
કોઈ પણ સમયે ચુંટણી જીતવાની ભાજપની તૈયારી: C R પાટીલ
રાજ્યના 8 બેઠકો પર પેટા ચૂંટણી મુદ્દે ભાજપના પ્રદેશ અધ્યક્ષ C R પાટીલે જણાવ્યું હતું કે, કોઇ પણ સમયે ચૂંટણી આવે અમે પેટા ચૂંટણી માટે તૈયાર છીએ. નોંધનીય છે કે, અબડાસા, લીંબડી,કરજણ,ડાંગ,કપરાડા, મોરબી, ગઢડા, ધારી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે.
કયા કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપ્યું?
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારે જ માર્ચ મહિનામાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ ગત 15 અને 16 માર્ચ દરમિયાન રાજીનામાં આપ્યા હતા. આ ધારાસભ્યોમાં ગઢડાના પ્રવીણભાઈ મારું, લીમડીના સોમાભાઈ પટેલ, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારીના જે વી કાકડિયા અને ડાંગના મંગળભાઈ ગાવિતનો સમાવેશ થાય છે. બાદમાં હમણાં જૂનમાં વધુ ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં જેમાં કપરાડાના જીતુભાઇ ચૌધરી, કરજણના અક્ષય પટેલ અને મોરબીના બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે.
ભાજપે પેટા ચૂંટણી જીતવા કઈ બેઠક પર કોને આપી જવાબદારી છે?
અબડાસા વિધાનસભા
કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા- ભાજપ પ્રદેશ મહામંત્રી કે સી પટેલ