રાજ્યમાં રોજગારીને ધ્યાનમાં રાખીને બજેટ જાહેર કરાયુ છે. સરકાર આગામી 3 વર્ષમાં 60 હજાર નવા કર્મચારીઓની ભરતી કરશે. જેમાં સરકાર દ્વારા અલગ અલગ ક્ષેત્રોમાં ભરતી કરવામાં આવશે.
નવા 70 હજાર સખી મંડળો નિર્માણ કરાશે. સરકારે સખી મંડળોના નિર્માણ માટે 700 કરોડ રૂપિયા ફાળવ્યા છે. સાથે જ હવે મુખ્યમંત્રી એન્ટરપ્રિન્યોશીપ યોજના હેઠળ રોજગારી ઉત્પન્ન કરાશે. વિવિધ રોજગાર યોજનાઓને 15 લાખ યુવાનોને લાભ મળશે. સાથે જ 3 વર્ષમાં મુદ્રા યોજના હેઠળ 50 લાખ લોકોને લાભ મળશે.
કૃષિક્ષેત્રો રોજગારીઃ જ્યારે કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7111 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જે અંતર્ગત ખેડૂત કલ્યાણકારી યોજના માટે નવી 2771 કર્મચારીઓની જગ્યા ભરાશે. 3 વર્ષમાં 2771 જગ્યાઓ ભરાશે, ચાલુ વર્ષે 1121 જગ્યાઓ ભરાઇ છે.
કિસાન સન્માન યોજના હેઠળ રોજગારીઃ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અંતર્ગત રૂ.1131 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. 28 લાખ ખેડૂતને રૂ.1131 કરોડ ચૂકવ્યા છે. ત્યારે ગ્રામ્ય કક્ષાની યોજનાની અમલવારી માટે 2771 નવી જગ્યાઓ ભરાશે. ચાલુ વર્ષે 1121 જગ્યાઓ ભરી દેવામાં આવશે.
આરોગ્યક્ષેત્રે રોજગારીઃ સરકારે સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે 110 કરોડની જોગવાઈ કરી છે. માં વાત્સલ્ય યોજનામાં એક હજારની જોગવાઈ કરાઈ છે. આરોગ્ય વિભાગમાં 8600 લોકોને નોકરી આપવામાં આવશે.