કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ માટે ગુજરાત બજેટમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૨,૨૧,૬૦૫ કરોડની જોગવાઇ કરી છે. કૃષિ ક્ષેત્રે ગુજરાતે દીર્ઘદ્રષ્ટિપૂર્ણ અને લાંબા ગાળાનો વિકાસ વ્યૂ અપનાવ્યો છે. વાવણી થી વેચાણ સુધી ખેડૂતો સાથે અડીખમ ઊભી રહેલી અમારી સરકારે ઉત્પાદન વધારવાની દિશામાં મક્કમ પગલાં ભર્યા છે.
જોગવાઈઓ:
• પ્રધાનમંત્રી કિસાન સમાન નિધિ યોજના અંતર્ગત છેલ્લાં ચાર વર્ષમાં એકંદરે બાર હપ્તામાં આશરે ૬૧ લાખથી વધુ ખેડૂત કુટુંબોને સીધેસીધા તેમના બેન્ક ખાતામાં અંદાજે ર૧૨ હજાર કરોડની સહાય આપવામાં આવેલ છે.
• ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહત દરે રજની ઉપલબ્ધ કરાવવા રૂ. ૮૨૭૮ કરોડની જોગવાઈ.
પાક કૃષિ વ્યવસ્થા
• ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિક કરણ માટેના અન્ય સાધનો તેમજ વિવિધ ઓપન ખરીદીમાં સહાય આપવા ર૬૧૫ કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ.
• વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને થતું નુકશાન અટકાવવા ખેતરની કાંટાળી તારની વાડ અને સોલાર ફેન્સીંગ બનાવવા સહાય માટે ૪૦૦ કરોડની જોગવાઈ.
• સ્માર્ટ ફાર્મિંગની યોજના અંતર્ગત સોઈલ હેલ્થ કાર્ડ અને ખેડૂતોને કૃષિ એડવાઈઝરી માટે ૫૦ કરોડની જોગવાઇ.
કૃષિ-પશુપાલન શિક્ષણ અને સંશોધન
કૃષિ, પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને પ્રાકૃતિક ખેતી સંલગ્ન શિક્ષણ, વિસ્તરણ તથા સંશોધન અંતર્ગત લેબ ટુ લેન્ડના એપ્રોચ સાથે કૃષિ યુનિવર્સિટીઓ, કામધેનુ યુનિવર્સિટી, ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી કાર્યરત છે. આ યુનિવર્સિટીઓમાં માળખાકિય સગવડોના વિકાસ, શૈક્ષણિક કાર્ય અને સંશોધન માટે ૧૧૫૩ કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના અને ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂ. ૧૦૯ કરોડની જોગવાઈ.
• ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય માટે ૬૨ કરોડની જોગવાઈ. દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકિય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા ૧૨ કરોડની જોગવાઈ.
• રાજ્યમાં ૧૫૦ નવા સ્થાયી પશુ દવાખાના શરુ કરવા રૂપિયા ૧૦ કરોડની જોગવાઈ.
મત્સ્યોદ્યોગ
• નવા મત્સ્યબંદરોના વિકાસ તેમજ હયાત મત્સ્યકેન્દ્રોના આધુનિકીકરણ અને નિભાવ માટે રૂપિયા ૬૪૦ કરોડની જોગવાઇ.
• સાગરખેડુઓને ડિઝલ વેટ રાહત તેમજ પેટ્રોલ પર સહાય માટે ૪૫૩ કરોડની જોગવાઈ
• પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજના હેઠળ મત્સ્યોદ્યોગના સર્વાંગી વિકાસ માટે રૂપિયા ૧૫૫ કરોડની જોગવાઈ.
સહકાર:
• ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડુઓને કિસાન ટેડિટ કાર્ડ મારફત અપાતા રૂપિયા ૩ લાખ સુધીના ટૂંકી મુદતનું પાક ધિરાણ પર વ્યાજ સાય પેટે રૂપિયા ૧૨૭0 કરોડની જોગવાઇ.
• પ્રાથમિક કૃપ્તિ સહકારી મંડળીઓના કોમ્પ્યુટરાઇઝેશન તેમજ સાથે સદાય માટે રૂપિયા ૧૨૪ કરોડની જોગવાઈય