બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Budget / અમદાવાદના સમાચાર / gujarat budget 2022 live updates announcements for farmers

Gujarat Budget / નાણાંમંત્રી કનુભાઈ દેસાઇએ રજૂ કર્યું 2.43 લાખ કરોડનું બજેટ, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને શું મળ્યું જાણો

Mayur

Last Updated: 08:08 PM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાત સરકારનાં નાણામંત્રીએ કનુભાઈ દેસાઇ Gujarat Budget 2022 માં ખેડૂતો સહિત આરોગ્ય અને શિક્ષણ વિભાગ માટે મોટી જાહેરાતો કરી હતી.

નાણાંમંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા 2 લાખ 43 હજાર 965 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું 

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 12240 કરોડ રૂપિયાની જોગવાઈ

  • દર્દીને તમામ સુવિધા મળે તે માટે જિલ્લા કક્ષાની હોસ્પિટલોમાં 30 કરોડની જોગવાઈ
  • આદિજાતિ વિકાસમાં સગર્ભા મહિલાઓ માટે 118 કરોડની જોગવાઈ
  • નવસારીના બિલોવોમાં માંસરકારી આયુર્વેદિક હોસ્પિટલ માટે 1 કરોડની જોગવાઇ
  • આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ માટે 12240 કરોડ રૂપિયાની જોગવાઈ
  • મેડિકલના વિદ્યાર્થીઓને યુવા સ્વાવલંબન યોજના હેઠળ 50 કરોડની જાહેરાત 
  • સુરેન્દ્રનગરમાં આયુર્વેદ કોલેજ માટે 12 કરોડની જોગવાઈ 
  • બાલ અમૃત પોશીન યોજના માટે 20 કરોડ 
  • આરોગ્ય ક્ષેત્રની માળખાકીય સુવિધાના વિકાસ માટે 629 કરોડ 
  • 100 નવી એમ્બ્યુલન્સ અને 10 મોબાઈલ સંજીવની વાન માટે 22 કરોડની જોગવાઈ 
  • અમદાવાદમાં સિવિલને 900 બેડની સુવિધા માટે નવીનીકરણ માટે 68 કરોડ      
  • રાજકોટ PDU હોસ્પિટલના બાંધકામ માટે 14 કરોડની જોગવાઇ
  • સેનેટરી પેડ વિનામુલ્યે આપવા માટે 45 કરોડની જોગવાઇ
  • બાલ અમૃત પોષણ યોજના અંતર્ગત 20 કરોડની જોગવાઇ

  • અમદાવાદ, ડીસા વાપીમાં હોસ્પિટલોની સુવિધાઓ વધારવા માટે જોગવાઈ 

  • રાજકોટમાં PDU હોસ્પિટલ માટે 12 કરોડની જોગવાઈ 

મહિલા અને બાળવીકાસ માટે 4976 કરોડની જાહેરાત 

  • સર્ગભા અને ધાત્રી માતાઓને 1 હજાર દિવસ સુધી વિનામૂલ્યે જરૂરી ખોરાક અપાશે
  • સર્ગભા અને ધાત્રી માતાઓને 1 હજાર દિવસ સુધી વિનામૂલ્યે જરૂરી ખોરાક અપાશે
  • મહિલા અને બાળ વિકાસ માટે 4976 કરોડની જોગવાઈ
  • આદિજાતિ વિકાસમાં સગર્ભા મહિલાઓ માટે 118 કરોડ રૂપિયાની જોગવાઈ 
  • બાલ અમૃત પોશીન યોજના માટે 20 કરોડ 
  • નવા 90 ખિલખિલાટ વાહનો ખરીદવા માટે 90 કરોડ 
  • બાલ અમૃત પોષણ યોજના અંતર્ગત 20 કરોડની જોગવાઇ
  • માતૃવંદના યોજના માટે 150 કરોડની જાહેરાતો 

ઉદ્યોગ અને રોજગારી માટે મહત્વની જાહેરાતો 

મોરબીમાં રોજગારી ઊભી કરવા માટે 400 કરોડની જોગવાઈ 

ઔધોગિક પાણીના નિકાલ માટે પાઇપલાઇન માટે 480 કરોડની જોગવાઈ 

સિવિક સેન્ટર ઉભા કરવા માટે 12 કરોડની જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ

શિક્ષણ માટે 34884 કરોડની જાહેરાત

  • સ્કૂલ ઓફ એક્સિલન્સ માટે 10 હજાર કરોડની જોગવાઈ : બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરાશે
  • પ્રાથમિક શાળાના આર્થિક પછાત વિદ્યાર્થીઓના ગણવેશ માટે 374 કરોડની જોગવાઇ
  • RTE અંતર્ગત એડમિશન આપવા માટે 629 કરોડની જોગવાઇ
  • પ્રાથમિક શાળાના આર્થિક પછાત વિદ્યાર્થીઓના ગણવેશ માટે 374 કરોડની જોગવાઇ
  • આશ્રમ શાળામાં રહેતા 1 લાખ વિદ્યાર્થીના નિભાવ ખર્ચ માટે 288 કરોડની જોગવાઇ
  • ઇટ ટુ એજ્યુકેશન માટે 629 કરોડની જોગવાઈ
  • 11 લાખ વિદ્યાર્થીઓને એસ.ટી.બસ ફ્રી પાસ માટે 205 કરોડ
  • 245 કસ્તુરબા ગાંધી વિદ્યાલય માં અભ્યાસ કરતી 27 હજાર બાળાઓને માટે 122 કરોડ ની જોગવાઈ 
  • શાળાઓને વીજળી, પીવાના પાણીની સુવિધા અને સ્વચ્છ રાખવા 81 કરોડ
  • સરકારી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો માટે 145 કરોડ
  • વિદ્યાર્થીનીઓની ફી  માફી માટે 37 કરોડ
  • સંસ્કૃત સાધના યોજના હેઠળ ૮ કરોડની જોગવાઈ
  • પ્રાથમિક શાળાઓ માં સીસીટીવી કેમેરાની સુવિધા માટે 20 કરોડ
  • ઉચ્ચ શિક્ષણમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 350 કરોડની જોગવાઈ
  • સ્ટાર્ટ અપ ઇનોવેશન માટે 60 કરોડની જોગવાઈ
  • નમો ટેબલેટ યોજના હેઠળ 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા 200 કરોડની જોગવાઈ
  • ટેકનિકલ શિક્ષણ આપતી સંસ્થાઓ માં માળખાકીય સુવિધા માટે 117 કરોડ
  • પીએચ.ડી.ના એક હજાર વિદ્યાર્થીઓને શોધ યોજના હેઠળ 2 લાખની સહાય માટે 20 કરોડની જોગવાઈ
     

પાણી પુરવઠા અને સિંચાઇ માટે મોટી જહેરાત  

  • જળજીવન મિશન અંતર્ગત દરેક ઘરે શુદ્ધ પાણી પુરૂ પાડવા 5540 કરોડની જોગવાઈ
  • કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડવા 4359 કરોડની જોગવાઇ
  • નર્મદા યોજના માટે 6090 કરોડની જાહેરાત 
  • સાબરમતી નદી હીરપુરા, વાસણા બેરેજ માટે 35 કરોડની જોગવાઈ
  • અમદાવાદના નળકાંઠાના વિસ્તારોને સિંચાઇનું પાણી આપવા માટે 25 કરોડની જોગાવાણી
  • દ.ગુજરાતની નદીઓ પર ચેકડેમ, બેરેજ યોજના માટે 35 કરોડની જોગવાઈ
  • નર્મદા નદી પર મીઠા પાણીનું સરોવર બનાવવા માટે 1240 કરોડની જોગવાઇ
  • થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન પહોંચાડવા માટે 70 કરોડની જોગવાઇ
  • અરવલ્લીના 102 તળાવ ભરવા માટે 45 કરોડની જોગવાઇ
  • ધરોડ ડેમને પ્રવાસન તરીકે વિકસાવવા માટે 30 કરોડની જોગવાઈ
  • પાણી પુરવઠાની યોજનાઓ માટે 5451 કરોડ રૂપિયાની જાહેરાત 
  • સુક્ષ્મ પિયત પદ્ધતિ માટે 500ની જોગવાઈ 

ખેડૂતો અને પશુપાલકો માટે મહત્વની જાહેરાતો 

  • સાગર ખેડૂ, હાઇસ્પીડ ડિઝલ રેટ રાહત યોજના માટે 230 કરોડની જોગવાઈ
  • ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે 142 કરોડ રૂપિયા ફાળવાયા 
  • સરકાર ડ્રોન અને ખેતી માટે મશીનોના ઉપયોગને આપશે મહત્વ 
  • રખડતાં ઢોરથી મુક્તિ માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ
  • મત્સ્ય ઉદ્યોગ પ્રભાગ માટે 833 કરોડની જોગવાઈ  
  • બાગાયતી ખાતાની યોજનાઓ માટે 369 કરોડની જાહેરાત 
  • કૃષિ યુનિવર્સિટી માટે 700 કરોડ
  • પશુપાલન અને સારસંભાળ માટે 300 કરોડ 
  • કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ. 7737 કરોડની જોગવાઇ
  • પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજના માટે 2310 કરોડ જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
  • ખેડૂતો માટે નાણામંત્રી કનુ દેસાઈએ કરી જાહેરાત, પશુપાલકો અને માછીમારોને ખેડૂતોની જેમ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે, 8થી 10 કરોડ રૂપિયાનું ધિરાણ મેળવી શકાશે
  • ખેડૂતોની જેમ પશુપાલકો અને માછીમારોને પણ અપાશે કિસાન ક્રેડિટ કાર્ડઃ નાણામંત્રીની જાહેરાત
  • સરકારી ખાંડ મિલોને કાર્યરત કરવા 10 કરોડ
  • કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ માટે 10 કરોડ
  • સરકાર ડ્રોનના ઉપયોગને વધુ વેગવંતો બનાવશે

ક્લાઇમેટ ચેન્જ અને વનજીવન માટે શું?

  • ક્લાઇમેટ ચેન્જ માટે 931 કરોડની જોગવાઈ કરવામાં આવી છે 
  • વન્યપ્રાણીઓના નિભાવ અને સંરક્ષણ માટે 324 કરોડની જોગવાઈ 
  • 75 સ્થળોએ વડ વાવી નમો વદ યોજનાને પ્રોત્સાહન 
  • ઇલેક્ટ્રિક વાહનો માટે 106 કરોડની જોગવાઈ 
  • 50 નવી ઇલેક્ટ્રિક બસો મુકાશે 
  • 20 હજાર ફોર વ્હીલર માટે 1.50 

ગુડ ગવર્નન્સમાં ગુજરાત સરકારનો પ્રથમ નંબર

  •  મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજાની જાહેરાત, 500 કરોડ રૂપિયાની જોગવાઈ
  • હજાર કરોડના ખર્ચે સ્કૂલ ઓફ એક્સીલેન્સ પ્રોજેક્ટ હાથ ધરાશે
  • લાખ 63 હજાર કરોડનું વિદેશી રોકાણ ગુજરાતમાં આવ્યું

માછીમારોને ખેડૂતોની જેમ કિસાન ક્રેડિટ કાર્ડ

  • કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ. 7737 કરોડની જોગવાઇ
  • પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજના માટે 2310 કરોડ જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
  • ખેડૂતો માટે નાણામંત્રી કનુ દેસાઈએ કરી જાહેરાત, પશુપાલકો અને માછીમારોને ખેડૂતોની જેમ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે, 8થી 10 કરોડ રૂપિયાનું ધિરાણ મેળવી શકાશે
  • ખેડૂતોની જેમ પશુપાલકો અને માછીમારોને પણ અપાશે કિસાન ક્રેડિટ કાર્ડઃ નાણામંત્રીની જાહેરાત

આ સિવાય રાજ્યમાં 50 લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના, અન્ન સંગમ યોજના અને દૂધ સંજીવની યોજના લાભ આપવા 1068 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

11 લાખ ગંગાસ્વરૂપા બહેનોને સહાય માટે 917 કરોડ રૂપિયાની જોગવાઈ

મહાશબરી સ્મૃતિ યાત્રા માટે 31 કરોડની જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ

પડકારો અમને હંફાવી ન શક્યા: નાણા મંત્રી કનુભાઈ દેસાઇ 

ગુજરાત બજેટ 2022 રજૂ કરતા નાણામંત્રી કનુ દેસાઇએ કહ્યું કે, પડકારો અમને હંફાવી ન શક્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સૌથી ઝડપી વિકાસ કરતી અર્થવ્યવસ્થા બની છે, દેશના વિકાસમાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર છે

ડિજિટલ ગુજરાત ઓનલાઈન પોર્ટલના માધ્યમથી દર વર્ષે 20 હજાર કરોડની સહાય લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે: નાણામંત્રી દેસાઇ

2 માર્ચથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત થઇ છે. પહેલા દિવસે રાજ્યપાલના અભિભાષણ ઉપર ગૃહમાં ચર્ચા થઇ હતી. આજે ગુરુવારે  રાજ્ય સરકારનું બજેટ રજૂ થશે. આ ચાર દિવસ બજેટ મુદ્દે ચર્ચા થશે. કુલ 22 દિવસનું બજેટ સત્ર રહેશે. આ બજેટ સત્રમાં બે કૃષિ અને મહેસૂલ વિભાગના સુધારા વિધેયક પસાર કરવામાં આવશે. તેમજ સરકારી બીલ ઉપર 4 દિવસ ગૃહમાં ચર્ચા થશે. આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  અને નાણામંત્રી કનુ દેસાઇ માટે આ પહેલુ બજેટ હશે જયારે  વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાનું પણ પહેલું બજેટ હશે. આ બજેટ સત્ર 31 માર્ચે પૂર્ણ થશે. 

ગુજરાતના બજેટ વિશે જાણી અજાણી વાતો
ગુજરાત રાજ્યનું પહેલું બજેટ 22 સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના પહેલા બજેટનું કદ રૂ. 114.92 કરોડ હતી.  મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટુ પડ્યા બાદ અસ્તિત્વમાં આવેલા ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન જીવરાજ મહેતાએ રાજ્યનું બજેટ રજૂ કર્યુ હતુ. કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરાયુ હતુ. જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખની આસપાસ હતી અને ખર્ચો 58 કરોડ 12 લાખ નજીક હતો. આમ બજેટમાં ખાદ્ય રૂપિયા 3 કરોડ 87 લાખ હતી. મળતી માહિતી મુજબ બજેટમાં પાઈએ પાઈનો હિસાબ બજેટમાં થતો હતો.

બજેટ સત્રનો પ્રથમ દિવસ કેવો રહ્યો હતો?
બુધવારે બજેટને લઇને નાણામંત્રી કનુ દેસાઈએ મહત્વનું નિવેદન કર્યુ હતું. આવનારું બજેટ નાગરિકોને રાહત આપનારુ રહેશે. આ બજેટ મહિલાઓ, માછીમારો માટે સારુ રહેશે. જયારે ખેડૂતો, નોકરિયાત વર્ગ, યુવાનોને સારા સમાચાર આપનારું રહેશે. આ બજેટમાં નવી યોજના અને ઇન્ફ્રાસ્ટ્રકચર સંબંધિત યોજના જાહેર કરાશે. જયારે આ બજેટને લઇને કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળ્યું છે. તો સરકારને ઘેરવાની રણનીતિ અંગે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે. વિધાનસભા સત્ર અંગે કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે જણાવ્યુ હતું કે ગુજરાતના પ્રાણ પ્રશ્નો, વિકટ સ્થિતિ અંગે સત્રમાં ચર્ચા કરીશું. ભાજપ વિધાનસભાનું લાઇવ પ્રસારણ કરાવવાથી ડરે છે. લોકશાહીના મંદિરમાં ધારાસભ્યોનો અવાજ દબાઇ રહ્યો છે. ભાજપના ધારાસભ્યો માત્ર ચિઠ્ઠીમાં લખી આપવામાં આવે એટલું જ બોલે છે. તો કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં દેખાવો કર્યા હતાં. અને ખેડાવાલાએ જણાવ્યુ હતું કે અમદાવાદમાં 3 હજારથી વધુ ટેક્સટાઇલ યુનિટો બંધ પડ્યા છે. નાના ઉદ્યોગો બંધ થતાં કારીગરો બેરોજગાર બન્યા છે. GPCB અને તંત્રની હેરાનગતિના કારણે ફેકટરીઓ બંધ થઈ છે. આ બજેટમાં એવી યોજના આવે કે જેનાથી ઉદ્યોગો બેઠા થાય. તો કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની માગ કરી છે. તેમજ રાજ્યપાલના અભિભાષણ દરમિયાન જ હોબાળો કર્યો હતો.

વિધાનસભા ચૂંટણી અગાઉ આજે મહત્વનો દિવસ 

ખેડૂતો, શિક્ષણ, નાના ઉદ્યોગો, રોજગારી, શહેરી વિકાસ અને આરોગ્ય પર વિશેષ જાહેરાતો થઈ શકે છે. યુવાનો માટે લાભદાયી યોજનાઓ તો બીજી તરફ કોરોના કાળમાં મંદીમાં આવી ગયેલા ઉદ્યોગકારોને રિઝવવા માટે નવી યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી ફૂલગુલાબી વેરા વિનાનું પણ રાહતોથી ભરપૂર બજેટ ગુજરાત વાસીઓ માટે આવશે તેવા એંધાણ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News gujarat budget 2022 ગુજરાત બજેટ 2022 ગુજરાતી ન્યૂઝ બજેટ સમાચાર gujarat budget 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ