ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે 142 કરોડ રૂપિયા ફાળવાયા
સરકાર ડ્રોન અને ખેતી માટે મશીનોના ઉપયોગને આપશે મહત્વ
રખડતાં ઢોરથી મુક્તિ માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ
મત્સ્ય ઉદ્યોગ પ્રભાગ માટે 833 કરોડની જોગવાઈ
બાગાયતી ખાતાની યોજનાઓ માટે 369 કરોડની જાહેરાત
કૃષિ યુનિવર્સિટી માટે 700 કરોડ
પશુપાલન અને સારસંભાળ માટે 300 કરોડ
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ. 7737 કરોડની જોગવાઇ
પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજના માટે 2310 કરોડ જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
ખેડૂતો માટે નાણામંત્રી કનુ દેસાઈએ કરી જાહેરાત, પશુપાલકો અને માછીમારોને ખેડૂતોની જેમ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે, 8થી 10 કરોડ રૂપિયાનું ધિરાણ મેળવી શકાશે
ખેડૂતોની જેમ પશુપાલકો અને માછીમારોને પણ અપાશે કિસાન ક્રેડિટ કાર્ડઃ નાણામંત્રીની જાહેરાત
સરકારી ખાંડ મિલોને કાર્યરત કરવા 10 કરોડ
કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ માટે 10 કરોડ
સરકાર ડ્રોનના ઉપયોગને વધુ વેગવંતો બનાવશે
ક્લાઇમેટ ચેન્જ અને વનજીવન માટે શું?
ક્લાઇમેટ ચેન્જ માટે 931 કરોડની જોગવાઈ કરવામાં આવી છે
વન્યપ્રાણીઓના નિભાવ અને સંરક્ષણ માટે 324 કરોડની જોગવાઈ
હજાર કરોડના ખર્ચે સ્કૂલ ઓફ એક્સીલેન્સ પ્રોજેક્ટ હાથ ધરાશે
લાખ 63 હજાર કરોડનું વિદેશી રોકાણ ગુજરાતમાં આવ્યું
માછીમારોને ખેડૂતોની જેમ કિસાન ક્રેડિટ કાર્ડ
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ. 7737 કરોડની જોગવાઇ
પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજના માટે 2310 કરોડ જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
ખેડૂતો માટે નાણામંત્રી કનુ દેસાઈએ કરી જાહેરાત, પશુપાલકો અને માછીમારોને ખેડૂતોની જેમ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે, 8થી 10 કરોડ રૂપિયાનું ધિરાણ મેળવી શકાશે
ખેડૂતોની જેમ પશુપાલકો અને માછીમારોને પણ અપાશે કિસાન ક્રેડિટ કાર્ડઃ નાણામંત્રીની જાહેરાત
આ સિવાય રાજ્યમાં 50 લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના, અન્ન સંગમ યોજના અને દૂધ સંજીવની યોજના લાભ આપવા 1068 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
11 લાખ ગંગાસ્વરૂપા બહેનોને સહાય માટે 917 કરોડ રૂપિયાની જોગવાઈ
મહાશબરી સ્મૃતિ યાત્રા માટે 31 કરોડની જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
પડકારો અમને હંફાવી ન શક્યા: નાણા મંત્રી કનુભાઈ દેસાઇ
ગુજરાત બજેટ 2022 રજૂ કરતા નાણામંત્રી કનુ દેસાઇએ કહ્યું કે, પડકારો અમને હંફાવી ન શક્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સૌથી ઝડપી વિકાસ કરતી અર્થવ્યવસ્થા બની છે, દેશના વિકાસમાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર છે
ડિજિટલ ગુજરાત ઓનલાઈન પોર્ટલના માધ્યમથી દર વર્ષે 20 હજાર કરોડની સહાય લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે: નાણામંત્રી દેસાઇ
2 માર્ચથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત થઇ છે. પહેલા દિવસે રાજ્યપાલના અભિભાષણ ઉપર ગૃહમાં ચર્ચા થઇ હતી. આજે ગુરુવારે રાજ્ય સરકારનું બજેટ રજૂ થશે. આ ચાર દિવસ બજેટ મુદ્દે ચર્ચા થશે. કુલ 22 દિવસનું બજેટ સત્ર રહેશે. આ બજેટ સત્રમાં બે કૃષિ અને મહેસૂલ વિભાગના સુધારા વિધેયક પસાર કરવામાં આવશે. તેમજ સરકારી બીલ ઉપર 4 દિવસ ગૃહમાં ચર્ચા થશે. આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુ દેસાઇ માટે આ પહેલુ બજેટ હશે જયારે વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાનું પણ પહેલું બજેટ હશે. આ બજેટ સત્ર 31 માર્ચે પૂર્ણ થશે.
ગુજરાતના બજેટ વિશે જાણી અજાણી વાતો
ગુજરાત રાજ્યનું પહેલું બજેટ 22 સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના પહેલા બજેટનું કદ રૂ. 114.92 કરોડ હતી. મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટુ પડ્યા બાદ અસ્તિત્વમાં આવેલા ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન જીવરાજ મહેતાએ રાજ્યનું બજેટ રજૂ કર્યુ હતુ. કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરાયુ હતુ. જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખની આસપાસ હતી અને ખર્ચો 58 કરોડ 12 લાખ નજીક હતો. આમ બજેટમાં ખાદ્ય રૂપિયા 3 કરોડ 87 લાખ હતી. મળતી માહિતી મુજબ બજેટમાં પાઈએ પાઈનો હિસાબ બજેટમાં થતો હતો.
બજેટ સત્રનો પ્રથમ દિવસ કેવો રહ્યો હતો?
બુધવારે બજેટને લઇને નાણામંત્રી કનુ દેસાઈએ મહત્વનું નિવેદન કર્યુ હતું. આવનારું બજેટ નાગરિકોને રાહત આપનારુ રહેશે. આ બજેટ મહિલાઓ, માછીમારો માટે સારુ રહેશે. જયારે ખેડૂતો, નોકરિયાત વર્ગ, યુવાનોને સારા સમાચાર આપનારું રહેશે. આ બજેટમાં નવી યોજના અને ઇન્ફ્રાસ્ટ્રકચર સંબંધિત યોજના જાહેર કરાશે. જયારે આ બજેટને લઇને કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળ્યું છે. તો સરકારને ઘેરવાની રણનીતિ અંગે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે. વિધાનસભા સત્ર અંગે કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે જણાવ્યુ હતું કે ગુજરાતના પ્રાણ પ્રશ્નો, વિકટ સ્થિતિ અંગે સત્રમાં ચર્ચા કરીશું. ભાજપ વિધાનસભાનું લાઇવ પ્રસારણ કરાવવાથી ડરે છે. લોકશાહીના મંદિરમાં ધારાસભ્યોનો અવાજ દબાઇ રહ્યો છે. ભાજપના ધારાસભ્યો માત્ર ચિઠ્ઠીમાં લખી આપવામાં આવે એટલું જ બોલે છે. તો કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં દેખાવો કર્યા હતાં. અને ખેડાવાલાએ જણાવ્યુ હતું કે અમદાવાદમાં 3 હજારથી વધુ ટેક્સટાઇલ યુનિટો બંધ પડ્યા છે. નાના ઉદ્યોગો બંધ થતાં કારીગરો બેરોજગાર બન્યા છે. GPCB અને તંત્રની હેરાનગતિના કારણે ફેકટરીઓ બંધ થઈ છે. આ બજેટમાં એવી યોજના આવે કે જેનાથી ઉદ્યોગો બેઠા થાય. તો કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની માગ કરી છે. તેમજ રાજ્યપાલના અભિભાષણ દરમિયાન જ હોબાળો કર્યો હતો.
વિધાનસભા ચૂંટણી અગાઉ આજે મહત્વનો દિવસ
ખેડૂતો, શિક્ષણ, નાના ઉદ્યોગો, રોજગારી, શહેરી વિકાસ અને આરોગ્ય પર વિશેષ જાહેરાતો થઈ શકે છે. યુવાનો માટે લાભદાયી યોજનાઓ તો બીજી તરફ કોરોના કાળમાં મંદીમાં આવી ગયેલા ઉદ્યોગકારોને રિઝવવા માટે નવી યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી ફૂલગુલાબી વેરા વિનાનું પણ રાહતોથી ભરપૂર બજેટ ગુજરાત વાસીઓ માટે આવશે તેવા એંધાણ છે.