છોટુ વસાવાના દિલ્હીમાં ધામા, વિધાનસભાની ચૂંટણીમાં AAP અને BTPનું થઇ શકે છે ગઠબંધન,
ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો પડી શકે
છોટુ વસાવા પહોંચ્યા દિલ્હી
BTPના છોટુ વસાવાએ અરવિંદ કેજરીવાલ સાથે કરી બેઠક
વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે એક તરફ પાટીદાર આગેવાન નરેશ પટેલને રાજકારણમાં લાવી પોતાની પાર્ટીમાં જોડવા કોંગ્રેસ અને AAP એડીચોટીનું જોર લગાવી રહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના આદિવાસી મતો પર પ્રભુત્વ ધરાવતા BTP પાર્ટીના અધ્યક્ષ છોટુ વસાવાના સમર્થન માટે કોંગ્રસ અને આપ બંધ બારણે ખેલ પાડી રહી છે.નરેશ પટેલની જેમ વધુ એક દિગ્ગજ નેતાનું અંડર ટેબલ ઓપરેશન થઈ રહ્યું છે. ગુજરાતના મોટા આદિવાસી નેતા અને BTP પાર્ટીના અધ્યક્ષ છોટુ વસાવા અરવિંદ કેજરીવાલને મળ્યા છે.
BTPના છોટુ વાસવાએ અરવિંદ કેજરીવાલ સાથે કરી બેઠક
ગુજરાતના રાજકારણમાં ફરી ઉથલપાથલના એંધાણ વર્તાઇ રહ્યા છે. BTPના છોટુ વસાવાએ અરવિંદ કેજરીવાલ સાથે દિલ્હીમાં મુલાકાત કરી છે. આ બેઠકને વિશેષજ્ઞો અલગ રીતે જોઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં AAP અને BTP ગઠબંધન થવા જઈ રહ્યું હોવાની વાતો પણ વહેતી થઈ છે.જેનો સૌથી મોટો ફટકો કોંગ્રેસને પડે તેમ છે.
આ અગાઉ પણ ભાજપ કોંગ્રેસના નેતાઓએ કર્યો હતો છોટુ વસાવાનો સંપર્ક
માર્ચ મહિનામ દિગ્ગજ આદિવાસી નેતાને પોતાની પાર્ટીમાં સત્કારવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ નેતાનો સંપર્ક કર્યો હતો.BTP પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ બંધ બારણે બેઠક યોજી હતી.
BTP પાર્ટીના સંસ્થાપક અને ગુજરાતની રાજનિતીના દિગ્ગજ આદિવાસી નેતા શ્રી છોટુભાઈ વસાવા અને તેમના પુત્ર શ્રી @MaheshVasavaBTP જીએ પોતાની ટીમ સાથે દિલ્લીના મુખ્યમંત્રી શ્રી @ArvindKejriwal જી સાથે શુભેચ્છા મુલાકાત કરી. pic.twitter.com/U7m7CjfSt3
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) April 8, 2022
છોટુ વસાવા માટે AAPમાં લાલ જાજમ તૈયાર : AAP નેતા ઈસુદાન ગઢવી
BTP પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાને AAP ના નેતા અને રણનીતિકારોને પણ મળ્યા હતા. અને અંદરખાને મોટી બેઠક પણ કરી હતી. તે મુલાકાત વખતે AAPના નેતા ઈસુદાન ગઢવીના નિવેદન મુજબ અમારી છોટુભાઈ વસાવા સાથે બેઠક થઇ છે અને AAPમાં લાલ જાજમ તૈયાર હોવાની પણ વાત તેઓ કરી હતી.
જો કે હાલ છોટુ વસાવા પોતે કોની સાથે જોડાશે તે મામલે સસ્પેન્સ રાખ્યું છે પણ જો આપ અને બીટીપીનું ગઠબંધન થાય તો આદિવાસી વિસ્તાર પર પ્રભુત્વ ધરાવતી કોંગ્રેસને મોટું નુકસાન પડી શકે તેમ છે. સાથે જ આપનો આ દાવ ભાજપનો ખેલ પણ ઊંધો પાડી શકે છે. પણ આ રાજકારણ છે બંધ બાજીએ નેતાઓ દાવપેચ ખેલે છે ત્યારે કોણ બાદશાહ કાઢશે અને હુકમનો એક્કો કોણ સાબિત થશે તો આવનાર સમય જ બતાવશે