ગાંધીનગર: ગુજરાતના શિક્ષણ વિભાગનો ફરીથી એક મોટો છબરડો સામે આવ્યો છે. પ્રથમ ભાષા ગુજરાતીની ધોરણ-10ના પુસ્તકમાં ચાંદલિયો નામના લોકગીતમાં ભુલો સામે આવી છે. એટલું જ નહીં ધોરણ-10ની બોર્ડની પરીક્ષામાં ચાંદલિયા લોકગીતમાંથી છબરડાવાળો પ્રશ્ન પુછાયો હતો. જયારે વર્ષ 2018-19ના વર્ષમાં પાઠયપુસ્તમાં ભૂલ સુધારવામાં આવી હતી.
આપને અમે બતાવી દઈએ કે ધોરણ-10ના ગુજરાતીના પાઠયપુસ્તકના 122 નંબરના પાના પર ચાંદલિયો નામનું લોકગીત છે. જેમાં આ ભૂલ છે કે જેઠ મારો ચાંપલીયોનો છોડ જો દેરાણી ચાંપલીયા કેરી પાંદડી આ સૌથી મોટી ભૂલ લોકગીતમાં છે.
જયારે સાચી રીતે જેઠ મારો અષાઢીલો મેઘ જો આવે. આવો છબરડાવાળો પ્રશ્ન પૂછાતા લાખો વિદ્યાર્થીઓએ પ્રશ્નનો જવાબ આપવા મજબૂર થયા હતા ત્યારે અહીં સવાલ થાય છે કે આ છે ગતિશીલ ગુજરાતનું સુધરેલું શિક્ષણ? ગુજરાતનું શિક્ષણ વિભાગ કયારે સુધરશે?
જો ગુજરાતી ભાષામાં આવા છબરડા થશે તો શું થશે ગુજરાતી ભાષાનું? ધો. 10ના ગુજરાતી પુસ્તકમાં કેમ થયો છબરડો? ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં આવી ગંભીર ભૂલો ? અન્ય ધોરણના પાઠ્યપુસ્તકમાં કેટલી હશે ભૂલ ? માતૃભાષા ગુજરાતીમાં આટલી મોટી ભૂલ કેવી રીતે ચલાવી લેવાય?
પાઠ્યપુસ્તક તૈયાર કરનારાઓ નહીં તપાસતા હોય ? પેપર સેટ કરનાર નિષ્ણાંતને આ ભૂલ નહી દેખાઈ હોય? છબરડાવાળા પ્રશ્નોનો જવાબ વિદ્યાર્થીઓ કેવી રીતે આપે જવાબ? તમામ પ્રકારના સવાલ અહીં થાય છે.