ગાંધીનગર:રાજ્યમાં આગમી 12 માર્ચથી 23 માર્ચ દરમિયાન ધોરણ 10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા હાથ ધરાશે.એ સાથે જ રાજ્યના કુલ 17 14 979 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.સમગ્ર રાજ્યમાં કુલ 135 ઝોનમાં લેવાનાર બોર્ડની પરીક્ષા માટે કુલ 5483 બિલ્ડિંગમાં 60337 વર્ગખંડોમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વર્ષે 11 34 674 વિદ્યાર્થીઓ ધો-10ની પરીક્ષામાં બેસશે.જ્યારે 04 76 634 વિદ્યાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપશે.તો વિજ્ઞાન પ્રવાહના પણ 01 34 679 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.શિક્ષણ બોર્ડ અને જેલ ખાતા દ્વારા કેદીઓ માટે પણ પરીક્ષા આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
જે માટે અમદાવાદ વડોદરા રાજકોટ અને લાજપોર મધ્યસ્થ જેલમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.આ વખતે 155 કેદીઓ ધો-10 અને 37 કેદીઓ ધો-12ની પરીક્ષા આપશે.તો બીજી તરફ દ્રષ્ટિહીન પરીક્ષાર્થીઓ માટે પણ બ્રેઈલલિપિ વાળા પેપરની સુવિધા ઊભી કરવામાં આવી છે.
ત્યારે આજ રોજ બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ફાઇનલ એકશન પ્લાન ઘડાઇ ચુક્યો છે. અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે શિક્ષણ બોર્ડના અધિકારીઓ અને જિલ્લા શિક્ષણાધિકારીઓની મહત્વની બેઠક યોજાઇ હતી. 12 મી માર્ચથી બોર્ડની પરિક્ષા શરૂ થવાની છે.
પરીક્ષા સમય દરમિયાન 144ની કલમનું અસરકારક અમલીકરણ થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. અમદાવાદના 7 માધ્યમિક અને 5 ઉચ્ચતર માધ્યમિક ઝોન છે. ફુલ 12 ઝોનમાં સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીનો પ્રશ્નો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે કંટ્રોલ રૂંમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. તો પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા પરિક્ષા કેન્દ્રોના તમામ બ્લોકમાં CCTV કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે.