ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે ત્યારે મહામારીના કારણે શિક્ષણક્ષેત્રને જોરદાર ફટકો પડ્યો છે. વિદ્યાથીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી ત્યારે હવે CBSEએ સુપ્રીમ કોર્ટમાં માર્ક કઈ રીતે ગણાશે તેની ફોર્મ્યુલા જાહેર કરી છે ત્યારે ગુજરાત સરકાર પણ કેન્દ્રના રસ્તે છે. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ની માર્કશીટમાં કઈ રીતે માર્કસ ગણવામાં આવશે તેની ફોર્મ્યુલા જાહેર કરી છે.
શું છે ફોર્મ્યુલા?
નોંધનીય છે કે બોર્ડની પરીક્ષા અનુસાર ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તથા ધો.12ની સામાયિક અને એકમ કસોટીના 25 ગુણ ઉમેરાશે. જુલાઇના બીજા સપ્તાહમાં વિદ્યાર્થીઓને માર્કશીટ આપી દેવામાં આવશે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સુપ્રીમ કોર્ટમાં પરીક્ષાના પરિણામો અંગેની એક ફોર્મ્યુલા રજૂ કરી છે જે અનુસાર 31 જુલાઈ સુધીમાં પરિણામો જાહેર કરવાની બોર્ડે નિર્ણય કર્યો છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રિઝલ્ટની આપી ફોર્મ્યુલા
કેન્દ્રના વકીલ એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે CBSE એ 10, 11 અને 12 પ્રી બોર્ડના રિઝલ્ટને લીધા છે. 10માંના 5 વિષયમાંથી 3 વિષયના સૌથી સારા માર્કને લેવામાં આવ્યા છે. 10માં ધોરણના 5 વિષય લેવામાં આવ્યા છે અને 3માંથી સર્વશ્રેષ્ઠનું સરેરાશ કાઢવામાં આવશે. ધો. 12માંના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ હોય છે. અમે 10માથી 30 ટકા અને 12માંથી 40 ટકા લઈશું. આ રીતે માર્ક કાઢીશું.
સીબીએસઈએ 4 જૂન 2021નું ઈવેલ્યૂએશન ક્રાઈટેરિયા નક્કી કરવા માટે 13 સભ્યની કમિટીનું ગઠન કર્યુ હતુ. 12માં મૂલ્યાંકન નીતિ નક્કી કરવા માટે સમિતિને 10 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.ઉલ્લેખનયી છે કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને સીબીએસઈને ઈવેલ્યૂએશન ક્રાઈટએરિયા નક્કી કરવા 2 અઠવાડિયાનો સમય આપ્યો હતો.
અસંતુષ્ટ વિદ્યાર્થીઓને એક્ઝામનો વિકલ્પ મળશે
રીઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને એક્ઝામનો વિકલ્પ પણ આપવાનું કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે. સરકારે જણાવ્યું કે જ્યારે સ્થિતિ સામાન્ય થશે ત્યારે રિઝલ્ટ અસંતુષ્ટ વિદ્યાર્થીઓને એક્ઝામનો વિકલ્પ પણ આપવામાં આવશે.