ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધીનગર મેડિકલ કોલેજના ટાઉનહોલ ખાતે સહકારીતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમના આયોજન માટે સહકારીતા સંમેલન યોજાયું હતું.
ગાંધીનગર ટાઉનહોલમાં સહકારીતા સંમેલન
આ પ્રસંગે સી.આર.પાટીલે સહકારી ક્ષેત્ર મામલે માહિતી આપતા કહ્યું હતું કે,મેન્ડેટ શબ્દ ખોટો છે ભાજપનો કાર્યકર ક્યા સહકારી ક્ષેત્રમાં જશે એ ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે તેમજ કાર્યકર ખોટી જગ્યાએ જતો હશે તો પાર્ટી એને બતાવશે રસ્તો.
સી.આર.પાટીલે સહકારી ક્ષેત્ર મુદ્દે માહિતી આપી
આ ઉપરાંત તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી લઇ પ્રધાનમંત્રી સુધીની સફરના 20 વર્ષ પૂર્ણ થાય છે.જેના ભાગરૂપે સહકારી ક્ષેત્રના ભાજપના આગેવાનો 71 લાખ વૃક્ષો અને 71 લાખ નોટબુકનું વિતરણ કરશે સાથે જ સહકારી ક્ષેત્રે સાથે સંકળાયેલા કર્મચારીઓ અને પશુપાલકો માટે બ્લડ ડોનેશન અને મેડિકલ ચેકઅપ કેમ્પ પણ યોજશે.
PM મોદીના 71માં જન્મદિવસની ઉજવણીનું આયોજન
મહત્વનું છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા આ સંમેલનમાં રાજ્યની ટોચની સહકારી સંસ્થાઓ, જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કો, જિલ્લા દૂધ ઉત્પાદક સંઘો, જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના વડાઓ અને તમામ સહકારી સંઘના ચેરમેન, વાઇસ ચેરમેનને આમંત્રણ આપવામાં આવ્યું હતું.