ખાડિયા વોર્ડને આઈડિયલ બનાવી અમદાવાદ શહેરમાં પ્રચાર અત્યારથી શરૂ, 1972 સતત ખાડિયા વોર્ડમાં વિજય પરચમ લહેરાવી રહ્યું છે ભાજપ
વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની નવી રણનીતિ
અમદાવાદ શહેરની 18 બેઠકો જીતવાનું લક્ષ્યાંક
ખાડિયા વોર્ડને આઈડિયલ બનાવી પ્રચાર શરૂ
2022ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પેજ સમિતિ ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. મંત્રી હોય ધારાસભ્ય હોય કે પછી કાર્યકર્તા હોય તમામને પેજ સમિતિ પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવી રહ્યા છે. આ તમામ વચ્ચે અમદાવાદ શહેરમાં વિધાનસભાની 18 બેઠકો આવેલી આવેલી છે.વિધાનસભાની 18 બેઠકો જીતવાનું લક્ષ્યાક મૂકવામાં આવ્યું છે. પરંતુ કેટલીક બેઠકો એવી પણ છે કે જે ભાજપ પાસે નથી ત્યારે ૨૦૨૨માં શહેર ભાજપના બેઠકો જીતવ માટે ખાડિયા વોર્ડને આઈડિયલ બતાવી પ્રચાર હાથ ધરવામાં આવ્યો છે.
ખાડિયા વોર્ડમાં 1972 સતત જનસઘ અને ભાજપની સતત વિજય મેળવ્યો
2022 વિધાનસભાની ચૂંટણીનું શરૂઆત જોવા મળી રહી છે. શરૂઆત પહેલા જ ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની અવનવી રણનીતિ સામે આવી રહી છે.આવી જ રણનીતિ અમદાવાદમાં પણ જોવા મળી રહી છે.કેમકે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અમદવાદ શહેરની 18 બેઠકો સર કરવા માટે ઠેર ઠેર ખાડિયા વોડની ઉપલબ્ધિના બોર્ડ શહેરમાં લગાવ્યા છે.જો કે શહેર ઠેર ઠેર લાગેલા બોર્ડમાં ચૂંટણીની રણનીતિ ભાગ રૂપે છે, કેમકે બોર્ડમાં ખાડિયા વોર્ડમાં ક્ર્યારેય ભાજપ હાર્યું નથી સમીકરણો બદલાયા છતાં ખાડિયા વોર્ડમાં ભાજપ 1972 સતત જનસઘ અને ભાજપની સતત વિજય મેળવ્યો છે.જેમાં અત્યાર સુધી આ વોર્ડમાં જીત મેળવી હોય તેવા ૧૮ લોકોના ફોટો મુકીને પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
'આજે પેજ સમિતિ કલ્પના એ ખાડિયા વોર્ડ પુરવાર કરે છે'
જો કે ખાડિયા વોર્ડના ગણિત અને ઉપલબધી અગે સમીકરણ અને શા માટે ખાડિયા વોર્ડમાં ક્યારેય અન્ય કોઈ પક્ષનો પેસારો નથી તે અગે પૂર્વ સાંસદ અને કેન્દ્રીયમંત્રી હરેન પાઠકનું કહેવું છેકે, આજે પેજ સમિતિ કલ્પના એ ખાડિયા વોર્ડ પુરવાર કરે છે, ૧૯૯૫ થી જનસઘ અને ત્યાર બાદ ભાજપ સતત જીત મેળવી છે, પરતું જયારે ભાજપ પાસે સતા નહોતી ત્યારે મોધવારી, સહિતના પ્રજાલક્ષી આદોલન થતા હતા જેના કારણે આદોલન ભૂમિ તરીકે ઓળખાય છે.લોકપ્રશ્નો આંદોલન થકી લોકો સહકાર મળ્યો પરતું ૧૯૯૫ સરકારમાં પક્ષ આવ્યો છતાં પોળના લોકો વચ્ચે વળગણ યથાવત રહ્યું તેનાં કારણે ભાજપ અજયે ખાડિયા વોર્ડમાં રહ્યું.
આમ તો સહેજ નાની લાગે તેવી વાત છે, પરતું ભાજપ અન્ય પક્ષ કરતા જુદુ કરીને અને સતત્ત કાર્યકરો વ્યસ્ત રાખીને વાઈબ્રન્ટ રાખે છે.જેના કારણે ભાજપ નાની નાની ઉપલબ્ધિઓ નાગરિકો સમક્ષ મુકીને ભાજપના સાસન વાત પ્રજા સુધી પહોચાડી રહ્યો છે.જેનું વધુ એક ઉદાહરણ ખાડિયા વોર્ડના બોર્ડ થકી ભાજપા ૨૦૨૨માં પ્રચાર રણનીતિ ઘડીને શહેરીજનો જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે