ગુજરાતમાં OBC સમાજની વસ્તી 49 ટકા છે.અને આ 49 ટકામાંથી 38 ટકા વસ્તી ઠાકોર અને કોળી સમાજની છે
ભાજપનો OBC મોરચા એક્ટિવ
ભાજપે તૈયાર કરી નવી રણનીતિ
નાના સમાજ સુધી પહોંચવાનું લક્ષ્ય
ક્યારેય તાળી એક હાથે નથી પડતી.એવી જ રીતે ચૂંટણી પણ ક્યારેય એક સમૂહ કે, સમાજના આધારે નથી જીતી શકાતી.અને આ વાત ભાજપ સારી રીતે જાણે છે.તેવામાં વિધાનસભા ચૂંટણી પહેલા SC મોરચા બાદ OBC મોરચો પણ એક્ટીવ બન્યો છે.અને નાનામાં નાની જ્ઞાતિ સુધી પહોંચવાની રણનીતિ ઘડાઈ છે.
ખાટલા બેઠક દ્વારા ગામે-ગામ પહોંચશે
સૌકોઈ જાણે છે કે, 2022ની વિધાનસભા ચૂંટણી ગુજરાતમાં લોકોના મુદ્દાઓ પર નહીં પરંતુ નાત-જાત પર લડાઈ રહી છે.તેવામાં ભાજપ નાનામાં નાની જાતિના લોકોને પણ પોતાની સાથે સાંકડવા માગે છે.અને આ માટે હાલ ભાજપની નજર SC અને OBC મતદારો પર છે. ખાસ કરીને OBC મતદારો પર.કારણ કે, સૌથી વધુ ગુજરાતમાં OBCની વસ્તી છે.અને OBC સમાજની એકપણ નાનામાં નાની જ્ઞાતિ છૂટી ન જાય તે માટે અમદાવાદ ખાતે OBC મોરચાની બેઠક યોજાઈ હતી.જેમાં ખાટલા બેઠક દ્વારા ગામે ગામ સુધી પહોંચવાનું આયોજન કરાયું છે.
તમામ OBC મતદારોને આકર્ષવા પ્રયાસ
ગુજરાતની રાજનીતિમાં OBC મતદાર એટલે કે, સત્તા પરિવર્તન અને સત્તાસુધી પહોંચવાનો એક માત્ર રસ્તો..! કારણ કે, ભૂતકાળમાં પણ OBC મતદારોના દમ પર પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ગુજરાતમાં સત્તા મેળવી હતી.ગુજરાતમાં OBC સમાજની વસ્તી 49 ટકા છે.અને આ 49 ટકામાંથી 38 ટકા વસ્તી ઠાકોર અને કોળી સમાજની છે.જ્યારે બાકીના 11 ટકામાં અનેક નાના-નાના સમાજ આવેલા છે.તેવામાં આ 11 ટકા મતદારો સુધી પણ પહોંચવા માટે ભાજપના નેતાઓ મેદાનમાં ઉતરી ચૂક્યા છે.
OBC ફેક્ટર પર દરેક રાજકીય પક્ષોની કેમ નજર?
મહત્વનું છે કે, કોંગ્રેસ 2022માં ઓબીસી કાર્ડ સાથે ચૂંટણી લડવાની રણનીતિ સાથે મેદાનમાં ઉતરી છે.અને આ માટે જ જગદીશ ઠાકોરને કોંગ્રેસે પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે.જ્યારે પાટીદાર નેતાઓને સાઈડલાઈન કરાયા છે.પરંતુ કોંગ્રેસની આ સત્તા માટેની રણનીતિ સામે ભાજપ પણ OBC ફેક્ટરને મજબૂત બનાવવાની દીશામાં આગળ વધી રહ્યું છે.ત્યારે ક્યો પક્ષ OBC મતદારો પર વધુ પ્રભૂત્વ પાડી શકે છે તે તો ડિસેમ્બરમાં જ ખબર પડશે.