ભાજપ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર થઇ શકે છે. મળતી માહિતી મુજબ ભાજપના તમામ મોરચાઓમાં ધરમૂળથી પરિવર્તન કરાશે. જેમાં સાતેય મોરચાના પ્રમુખ સહિતના હોદ્દેદારો બદલાય તેવી શક્યતા છે.
કોરોનાકાળમાં મોરચાઓની ખાસ કામગીરી ન હોવાથી ફેરફાર કરાશે
મોરચાની નિષ્ક્રિયતાને લઇ હાઇકમાન્ડમાં નારાજ છે. કોરોનાકાળમાં મોરચાઓની ખાસ કામગીરી ન હોવાથી ફેરફાર કરવામાં આવશે. અને યુવા મોરચાના અધ્યક્ષ પણ બદલાવામાં આવે તેવી શક્યતા છે.
મળતી માહિતી મુજબ ઋત્વિજ પટેલને બદલવામાં આવી શકે છે. અને બક્ષીપંચ મોરચાના દિનેશ અનાવડીયા પણ બદલાય તેવી શક્યતા છે. જ્યારે કિશાન મોરચાના બાબુ જેબલિયા અને લઘુમતી મોરચાના મહેબૂબઅલી ચીસતી પણ બદલાય તેવી શક્યતા છે. જ્યારે આદિવાસી મોરચાના મોતી વસાવા પણ બદલાઇ શકે છે. જો કે મહિલા મોરચાના જ્યોતિબેન પંડ્યા અને અનુસચિત મોરચાના શભુપ્રસાદ ટુંડિયાને રિપીટ કરવામાં આવી શકે છે.
શું થઇ શકે છે ફેરફાર?
ભાજપ તમામ મોરચામાં ધરમૂળથી પરિવર્તન કરાશે
સાતેય મોરચાના પ્રમુખ, હોદ્દેદારો બદલાશેઃ સૂત્ર
મોરચાની નિષ્ક્રિયતાથી હાઈકમાન્ડમાં નારાજગીઃ સૂત્ર
કોરોનાકાળમાં ખાસ કામગીરી ન હોવાથી ફેરફાર કરાશે
યુવા મોરચાના અધ્યક્ષ પણ બદલાય તેવી શક્યતા
ઋત્વિજ પટેલને બદલવામાં આવશેઃ સૂત્ર
બક્ષીપંચ મોરચાના દિનેશ અનાવડીયા બદલાય તેવી શક્યતા
કિસાન મોરચાના બાબુ જેબલિયા બદલાય તેવી શક્યતા
લઘુમતી મોરચાના મહેબૂબઅલી ચીસતી બદલાય તેવી શક્યતા
આદિવાસી મોરચાના મોતી વસાવા બદલાય તેવી શક્યતા
મહિલા મોરચાના જ્યોતિબેન પંડ્યા રિપીટ થઈ શકે છે
અનુસૂચિત મોરચાના શંભુપ્રસાદ ટુંડિયા રિપીટ થઈ શકે છે