દિવાળી પહેલા ભાજપ સંગઠનમાં ફેરફાર શક્ય છે. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની ચૂટંણી બાદ ભાજપ સંગઠનમાં પણ ફેરફારની સૂચનાઓ આપશે તેવી આશા સેવાઈ રહી છે.
સંગઠનમાં તમામ સમાજના લોકોને સ્થાન મળી શકે છેઃ સૂત્ર
પરિપક્વ હોય તેવા નેતાઓને સ્થાન આપવામાં આવશેઃ સૂત્ર
નવા સંગઠનમાં ટેક્નોસેવી ચહેરા પણ મળી શકે સ્થાન
ભાજપનું નવું સંગઠન દિવાળી પહેલા જાહેર થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. નવા સંગઠનમાં સિનિયર નેતાઓને અવકાશ આપવામાં આવશે તેવો ગાંધીનગરના કાર્યકરોમાં ગણગણાટ થઈ રહ્યો છે. તો વળી બીજી તરફ એવી પણ સંભવાનાઓ સેવાઈ રહી છે કે, વર્ષોથી સંગઠનમાં કામ કરતા અનુભવી નેતાઓ સ્થાન મળશે.
જ્ઞાતિ-જાતીને આધારે સંગઠનમાં સભ્યોની પસંદગી કરવામાં આવશે
રાજનૈતિક સૂત્રોનું કહેવું છે કે, સંગઠનમાં તમામ સમાજના નેતાને સ્થાન મળી શકે છે. એટલે કે તમામ જ્ઞાતિ-જાતીને આધારે સંગઠનમાં સભ્યોની પસંદગી કરવામાં આવશે. પરિપક્વ હોય તેવા નેતાઓને સ્થાન આપવામાં આવશે તો વળી નવા સંગઠનમાં ટેક્નોસેવી ચહેરાને પણ મળી શકે સ્થાન.
કમલમમાં સભાઓનો દોર
કમલમના સૂત્રોનું કહેવું છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા આગામી સંગઠનમાં કોને કોને કયો હોદ્દો આપવો એ અંગે ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે અને પેટાચૂંટણીમાં જીતની સાથે સાથે નવા સંગઠનની પણ જાહેરાત કરવામાં આવશે તેવો ગણગણાટ થઈ રહ્યો છે.