ભાજપ પ્રદેશ પ્રમુખ આર. સી. પાટીલને અચાનક દિલ્હીથી હાઇકમાન્ડનું તેડુ આવતા અનેક તર્ક-વિતર્ક સાથે અટકળોનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે. હાલમાં રાજ્યમાં પેટા-ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે બીજી તરફ ભાજપમાં દિવાળી પહેલા સંગઠન માળાખાને લઇને જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે સી. આર. પાટીલે હાઇકમાન્ડ સાથે બેઠક કરી છે.
ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દિલ્લીના પ્રવાસે
પાટીલના અચાનક દિલ્લી પ્રવાસથી અનેક તર્ક-વિતર્ક
દિવાળી પહેલા સંગઠન માળખાની થઇ શકે છે જાહેરાત
હાલ ગુજરાતમાં પેટા-ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા પેટાચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને દિલ્હી હાઇકમાન્ડે બોલાવતાં અને અટકળો લગાવામાં આવી રહી છે.
હાલમાં રાજ્યની પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે સૂત્રોને મળતી એક માહિતી મુજબ ભાજપના એક આંતરિક સર્વેમાં પેટાચૂંટણીમાં ભાજપને નુકસાન થઇ રહ્યું હોવાના અહેવાલના પગલે હાઇકમાન્ડે સી આર પાટીલને દિલ્હી બોલાવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ત્યારે બીજી તરફ રાજ્યમાં છેલ્લા 2 મહિનાનો સમય વિત્યો છતાં ભાજપના સંગઠન માળખાની જાહેરાત થઇ નથી. ત્યારે પેટાચૂંટણીના પ્રચાર અધવચ્ચે છોડી અચાનક દિલ્હી બોલાવા પાછળ આ પણ એક અટકળ લગાવામાં આવી રહી છે. જેમાં દિવાળી પહેલા સંગઠન માળખાની જાહેરાત થઇ શકે છે.