ભાજપમાં કોંગ્રેસના આયાતી ઉમેદવારોનો જમાવડો છે જેમને ટીકીટના વચન આપીને ભાજપના ખેસ પહેરાવાયા છે એવામાં ભાજપના વર્ષોનો વફાદાર કાર્યકરોને મહેનતનું ફળ ન મળતા ભાજપમાં જ ત્રણ પક્ષો પડી રહ્યા છે. જેમાં એક આયાતીઓનો પક્ષ છે બીજો વર્ષોથી ભાજપના વફાદાર કાર્યકરોનો પક્ષ છે જ્યારે ત્રીજો દિલ્હી હાઈકમાન્ડના આદેશથી સત્તારૂઢ થતો પક્ષ છે. આ ત્રણેય પક્ષના ટણટણવાજાને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ C R Patil એક સૂરમાં વગાડી શકે છે કે કેમ તે તો આવનારો વખત જ કહેશે.
ભાજપમાં જ ત્રિપાંખીયો જંગ
નવેમ્બર કે ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી યોજાશે
2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનું ધોવાણ થઈ ગયું હતું
ગુજરાતમાં હાલ એકપક્ષીય રાજકારણ ચાલી રહ્યું છે. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે અને બીજી તરફ ભાજપ જનતાને જકડી રાખવા મરણિયું બન્યું છે આ વખતનો લાભ કોંગ્રેસ લઈ શકે તેમ છે પણ કોંગ્રેસ દર વખતની જેમ બીજા જ મુદ્દે લડી રહી છે. ત્યારે તાજેતરમાં જ યોજાઈ ગયેલી 7 નગરપાલિકાના ઉપપ્રમુખ અને પ્રમુખની ચૂંટણીમાં સત્તામાં ઉલટફેર જોવા મળ્યા હતા. હવે આગામી દિવસોમાં યોજાનારી 230 તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયત, 56 નગરપાલિકા અને 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થાય તેમ છે એવામાં નવા પ્રદેશ પ્રમુખ પાટીલ પોતાનો જાદુ ચલાવીને આ ચૂંટણીમાં ભાજપને બહુમત અપાવી શકે છે કે કેમ તે તેમના પાટે પહેલી પરીક્ષા સમાન છે.
ભાજપમાં જ ત્રિપાંખીયો જંગ
આ વખતે ભાજપે ગ્રામ્ય વિસ્તારો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી, પાટીદાર સમાજમાં લેઉવા અને કડવા તેમજ દલિત અને OBC સમાજના મત અંકે કરવા કવાયત હાથ ધરી છે. પાટીલને ભાજપ પ્રદેશનું સુકાન સોંપી ભાજપનો ગુજરાત પર શાસન ટકાવી રાખવનો પ્રયાસ હાલતો થોડો બાલીશ લાગે છે. કારણ કે,
1) ભાજપમાં કોંગ્રેસના આયાતી ઉમેદવારોનો જમાવડો છે જેમને ટીકીટના વચન આપીને ભાજપના ખેસ પહેરાવાયા છે.
2) એવામાં ભાજપના વર્ષોનો વફાદાર કાર્યકરોને મહેનતનું ફળ ન મળતા ભાજપમાં જ ત્રણ પક્ષો પડી રહ્યા છે. જેમાં એક આયાતીઓનો પક્ષ છે બીજો વર્ષોથી ભાજપના વફાદાર કાર્યકરોનો પક્ષ છે
3) જ્યારે ત્રીજો દિલ્હી હાઈકમાન્ડના આદેશથી સત્તારૂઢ થતો પક્ષ છે. આ ત્રણેય પક્ષના ટણટણવાજાને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ C R Patil એક સૂરમાં વગાડી શકે છે કે કેમ તે તો આવનારો વખત જ કહેશે.
2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનું ધોવાણ થયું હતુ
2015માં પણ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ હતી ત્યારે ભાજપે આંતરિક વિખવાદને કારણે જ ઘણી સ્થાનિક સ્વરાજ્યની બેઠકો ગુમાવી હતી અને ગ્રામ્યમાં તેનું જોર ઓછુ થયું હતુ. 2015માં જ્યારે સ્થાનિક ચૂંટણીઓ થઇ હતી ત્યારે તે સમયે આનંદીબહેન પટેલનું શાસન હતું અને તેમાં ભાજપને ઘણી બઘી જિલ્લા-તાલુકા પંચાયતો ગુમાવી હતી. જો કે પાછળથી ભાજપે બળવા કરીને તખ્તા પલટ કરી ઘણીખરી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ તેમજ મનપાઓમાં સત્તા મેળવી હતી પરંતુ હવે તે તખ્તા પલટ માટે જે કોંગ્રેસીઓને ભગવો ખેસ પહેરાવ્યો હતો તે જ નેતાઓ ઉમેદવારી તરીકે ઉભા થશે ત્યારે ભાજપના જુના જોગીઓ તેમને સાથ આપશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે.
ભાજપે ગામડાઓમાં ધ્યાન કેન્દ્રિત કર્યુ
હાલ ભાજપ પ્રદેશ પ્રમુખ ગુજરાતના શહેરો સિવાય નાના ટાઉન અને નગરપાલિકાઓ તેમજ જિલ્લા મથકોની મુકાતાક લઈ રહ્યા છે. જે તેમનો એજન્ડા રૂરલ મતદારને આકર્ષવાનો હોય તેવું ફળીભૂત કરાવે છે. પરંતુ હાલ જ કોરોનાની મહામારી અને વરસાદે ધોવાઈ ગયેલા રોડ રસ્તા અને ખેતરોની અસર ચુંટણી પરિણામ પડી શકે તેમ છે. ખેડૂતો મામલે જાહેરાત બાદ તેમને એ પ્રમાણે વળતર મળે છે કે નહીં તેની દરકાર ન રખાતા કદાચ ગ્રામ્ય વિસ્તાર કોંગ્રેસ કે અન્ય પક્ષ તરફ વળી શકે તેમ છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણી પંચને જાણ કરાઈ
સ્થાનિક ચૂંટણી સમયસર યોજવા માટે રાજ્ય ચૂંટણી પંચને જાણ પણ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં 230 તાલુકા પંચાયતો, 31 જિલ્લા પંચાયતો, 56 નગરપાલિકા તેમજ છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ નિર્ધારિત છે. આ ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી પંચ સપ્ટેમ્બરમાં નોટિફિકેશન બહાર પાડે તેવી સંભાવના છે, કારણ કે નવેમ્બર અને ડિસેમ્બરમાં તમામ સ્થાનિક ચૂંટણીઓ પૂર્ણ કરવાની થાય છે. આ જ સમયમાં વિધાનસભાની પેટાચૂંટણીઓ પણ આવી શકે છે.