ભાજપમાં નવા સંગઠન માળખાને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કવાયત શરૂ કરી દીધી છે. જેમાં જ્ઞાતિવાદી સમીકરણને ધ્યાને લેવાઈ શકે છે. અને 5 મહામંત્રીની ટીમમાં સમીકરણ ધ્યાને લેવાઈ શકે છે. ત્યારે મહામંત્રીની ટીમમાં યુવાનોને સ્થાન મળી શકે છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ હેડગેવાર ભવનની મુલાકાત લીધી
સંઘ પ્રચારકોને મળ્યા સી.આર પાટીલ
સંઘ સાથે જોડાયેલો છું અનેક યાદો જોડાયેલી છે: સી.આર પાટીલ
હાલ ગુજરાતમાં ભાજપ પ્રદેશ સંગઠનમાં મહામંત્રી પદ માટે અમિત ઠાકર, શબ્દશરણનું નામ મોખરે છે. જ્યારે પ્રદીપસિંહ વાઘેલા, ધનસુખ ભંડેરીનું નામ પણ ચર્ચામાં છે. આ ઉપરાંત ભરત બોઘરાને પણ મળી સંગઠનમાં મોટુ સ્થાન મળી શકે છે. તો સંગઠનમાં ઉત્તર ગુજરાતના કે.સી.પટેલ પણ રિપિટ થઇ શકે છે. અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને પણ સંગઠનમાં સ્થાન મળે તેવી શક્યતા છે. જ્ઞાતિવાદી સમીકરણ જોતા ઠાકોર સ્થાન મળી શકે છે.
શું કહે છે C R પાટીલ
C R પાટીલ અમદાવાદ સંઘ કાર્યલાય પહોચ્યા હતા. પ્રદેશ ભાજપ પ્રમુખ હેડગેવાર ભવનની મુલાકાત લીધી હતી. સી.આર પાટીલ સંઘ પ્રચારકોને મળ્યા હતા અને કહ્યું હતુ કે, હું સંઘ સાથે જોડાયેલો છું અનેક યાદો જોડાયેલી છે.
પ્રમુખ બન્યા બાદ સી.આર.પાટીલ એકશન મોડમાં
ગાંધીનગર સર્કિટ હાઉસમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. સંગઠન અને મોર્ચાના હોદેદારો સાથે પાટીલની બેઠક પણ થઈ છે. નવી વ્યુહરચના પહેલા મહત્વના હોદેદારો સાથે બેઠક કરી પાટીલ ગુજરાતના રાજકારણનો ક્યાસ કાઢવાની કોશિશ કરી રહ્યા છે.
કોની કોની સાથે કરી બેઠક?
આઇકે જાડેજા, ગોરધન ઝડફિયા, ભાર્ગવ ભટ્ટે અને કે.સી. પટેલ, શબ્દચરણ બ્રહ્મભટ્ટ સાથે બેઠક કરી હોવાનું ભાજપના આંતરિક સૂત્રોનું કહેવું છે. હાલ પાટીલ ભાજપની આંતરિક સ્થિતિ જાણવા બેઠકો કરી રહ્યા છે. આંતરિક સ્થિતિ જાણ્યા બાદ પાટીલ નવી વ્યુહરચના ઘડશે. બેઠકમાં ભાજપના મહત્વના હોદેદારોનો કામનો ચિતાર મેળવ્યો હતો.