સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ચોંકાવનારૂં નિવેદન કર્યું છે. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI)ના પ્રમુખ પદગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી મોદીને યાદ કરતા કહ્યું કે આજે પણ ભુવો ધુણે છે તો નાળિયેર ગુજરાત તરફ ફેંકે છે.
સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું ચોંકાવનારૂં નિવેદન
'આજે પણ ભુવો ધુણે છે તો નાળિયેર ગુજરાત તરફ ફેંકે છે'
'હું અને દર્શનાબેન જરા વધારે નાળિયેર લઈ આવીએ છીએ'
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ સુરત ખાતે સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદગ્રહણ સમારોહમાં હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમના સંબોધનમાં પાટીલે પીએમ મોદીને યાદ કરતાં કહ્યું કે આજે પણ ભુવો ધુણે છે તો નાળિયર ગુજરાત તરફ ફેંકે છે. હું અને દર્શનાબેન જરા વધારે નાળિયર લઇ આવીએ છીએ.
રાજકોટમાં એઇમ્સની ફાળવણી બાબતે પણ કરી ટકોર
પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે SGCCIના પ્રમુખ પદગ્રહણ સમારોહમાં AIIMSની ફાળવણી બાબતે પણ ટકોર કરી હતી. જેમાં પાટીલે કહ્યું કે આપણે નવસારીમાં એઇમ્સ લાવવા માગતા હતા પણ આપણો પનો ટૂંકો પડ્યો.
CMએ રાજકોટની જાહેરાત કરી દીધી, હવે આવું નહી થાય તેની ખાતરી આપું છું. આ સાથે પાટીલે રાજકોટ અને સુરતના વ્યવાસયિકોની પણ સરખામણી કરી.