ગુજરાતમાં જ નહીં સમગ્ર ભારતમાં કોરોનાના કેસમાં નંબર વન પર પહોંચી ગયું છે. ત્યારે ભારતના ગૃહમંત્રી અમિત શાહ કોરોના પોઝિટિવ આવ્યા છે ત્યારે ગુજરાતમાં પણ ભાજપ પ્રદેશ પ્રમુખ C R Patilના ઘર સુધી કોરોના પહોંચી ગયો છે. એક દિવસમાં સૌથી વધુ કેસ ભારતમાં આવતા અમેરિકા અને બ્રાઝિલને પણ પાછળ છોડ્યું છે.
સી.આર.પાટીલના ભાઈને કોરોના
પરિવાર થયો હોમ ક્વોરેન્ટાઈન
પ્રકાશ પાટીલ અને તેનો ડ્રાઈવર કોરોનાગ્રસ્ત
ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના ભાઈને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. સી.આર.પાટીલના ભાઈ પ્રકાશ પાટીલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એટલું જ નહીં પણ પ્રકાશ પાટીલના ડ્રાઈવરનો પણ કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. પ્રકાશ પાટીલનો પરિવાર હાલ તો હોમ ક્વોરેન્ટાઈન થયો છે.
કોરોનાથી કેટલા દર્દીના મોત ?
રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 22 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં 2,509 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાયરસના કેસ 18 લાખને પાર થઇ ચૂક્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં દેશમાં 38 હજારથી વધુ દર્દીઓના મોત થયા છે.
હાલ સુરતમાં કોરોનાની શું છે સ્થિતિ?
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 258 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 198 અને સુરત જિલ્લામાં 60 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 13,826 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 195 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 9,617 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 11 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 449 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ 3760 એક્ટિવ કેસ છે.
શું છે ભારતની સ્થિતિ
ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 52972 નવા દર્દીઓ સામે આવ્યા છે અને સાથે જ 771 દર્દીના મોત થયા છે. એક દિવસમાં સૌથી વધુ કેસ ભારતમાં આવતા અમેરિકા અને બ્રાઝિલને પણ પાછળ છોડ્યું છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 47 હજારથી વધુ કેસ આવ્યા હતા તો બ્રાઝિલમાં 25 હજારથી વધુ નવા કેસ આવ્યા હતા.
હાલ અમદાવાદમાં કોરોનાની શું છે સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 151 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 139 અને અમદાવાદ જિલ્લામાં 12 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 26,969 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 109 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 21,697 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 6 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1611 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3661 એક્ટિવ કેસ છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા આજના કોરોના વાયરસના કેસની વિગત
03/08/2020
પોઝિટિવ કેસ
અમદાવાદ
151
સુરત
258
વડોદરા
98
ગાંધીનગર
25
ભાવનગર
47
બનાસકાંઠા
10
આણંદ
11
રાજકોટ
85
અરવલ્લી
0
મહેસાણા
26
પંચમહાલ
22
બોટાદ
16
મહીસાગર
7
ખેડા
20
પાટણ
4
જામનગર
34
ભરૂચ
18
સાબરકાંઠા
15
ગીર સોમનાથ
6
દાહોદ
29
છોટા ઉદેપુર
0
કચ્છ
17
નર્મદા
8
દેવભૂમિ દ્વારકા
5
વલસાડ
3
નવસારી
12
જૂનાગઢ
21
પોરબંદર
4
સુરેન્દ્રનગર
13
મોરબી
14
તાપી
2
ડાંગ
3
અમરેલી
19
અન્ય રાજ્ય
6
ગુજરાતના તમામ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસની વિગત (આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે)