રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે એક પછી એક નવા પડકાર સામે આવી રહ્યા છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સીએમને પત્ર લખ્યું હોવાની ચર્ચા છે ત્યારે ફરી એક ધારાસભ્યની નારાજગી સામે આવી છે. જો કે આ અંગે બંને ધારાસભ્યો દોષનો ટોપલો સરકારી અધિકારીઓ ઉપર ઢોળી દીધો છે. પરંતુ ભાજપ સરકાર સામે તેના જ ધારાસભ્યો દ્વારા ઉઠી રહેલો વિરોધનો સૂર સૂચક હોવાનું મનાઈ રહ્યું છે.
ભાજપના નેતાઓ અધિકારીથી પરેશાન
અધિકારીઓ વિકાસના કામ અટકાવે છે!
અધિકારીઓને લઈને MLA પરેશાન!
ભાજપના વધુ એક ધારાસભ્ય સરકારથી નારાજ
રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ સરકારથી નારાજ છે. વિકાસના કામો ન થતા હોવાથી ગોવિંદ પટેલે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપમાં એક બાદ એક ધારાસભ્યોની નારાજગી સામે આવી રહી છે. વિકાસના કામ અંગે રજૂઆત ન સાંભળતા નારાજગી વ્યક્ત કરી છે.
શું કહે છે ગોવિંદ પટેલ
લોક કલ્યાણના અટકે ત્યારે રજૂઆત કરવી પડે છે. અધિકારીઓ મંદગતિએ કામ કરે છે. અધિકારીઓ રિપોર્ટ આગળ મોકલવામાં ઢીલાસ વર્તે છે. હું નારાજ નથી, ક્યારેય થવાનો પણ નથી. સોસાયટીના કામોને લઇ મે રજૂઆત કરી હતી. હું જે કામ લઇને જાઉ છું તે થાય છે. મારા વિરોધીઓ અફવા ઉડાવી હોઇ શકે. કામ કરાવવા માટે અધિકારીઓ પાછળ પાછળ ફરવું પડે છે. મે કોઇ પત્ર લખ્યો જ નથી, મૌખિક રજૂઆત કરી છે.
ભાજપના ધારાસભ્યોની નારાજગી યથાવત છે. ત્યારે ફરી ફરી ભાજપના MLA કેતન ઇનામદારની નારાજ થયા છે. કેતન ઇનામદારે CM રૂપાણીને પત્ર લખ્યો છે. સાવલીના પ્રશ્નો હજૂ ન ઉકેલાતા પત્ર લખ્યો છે.
શું છે માંગ?
સાવલી ST ડેપોને લઇ પત્રમાં સવાલ કરવામાં આવ્યા છે કે ST ડેપો વર્ષોથી બંધ છે તે ક્યારે શરૂ થશે. આ ઉપરાંત સાવલી-ડેસર તાલુકામાં ચેકડેમની સુવિધા માટેની પણ માગ કરી છે.
અગાઉ પણ કેતન ઈનામદારે આપ્યુ હતુ રાજીનામું
અગાઉ પણ કેતન ઇનામદારે સાવલી નગરપાલિકાના વીજ બીલ મુદ્દે રાજીનામું આપી દીધું હતું. કેતન ઇનામદારે વીજ કંપનીના અધિકારીઓ, ધારાસભ્ય અને મંત્રીઓનું સાંભળતા ન હોવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઇ ભાજપ હરકતમાં આવી અને જીતુ વાઘાણીના પ્રયાસોથી ધારાસભ્ય કેતન ઇનામદાર માની ગયા હતા. અને કેતન ઇનામદારે રાજીનામું પરત લઇ લીધું હતું. ત્યારે ફરીથી કેતન ઈનામદારની નારાજગી સામે આવી છે.