ગુજરાતની રાજનીતિમાં વડોદરાના ધારાસભ્ય કેતન ઈમાનદાર નિમિત્ત બન્યા છે. ત્યારે વારંવાર અવનવી ચર્ચાઓના ચકરાવા ચઢતા હતા જેમાં VTVએ સીધી કેતન ઈનામદાર સાથે વાત કરીને પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
મે મારું રાજીનામું મેઈલથી મોકલી આપ્યું છે
મે મુખ્યમંત્રીને પણ રાજીનામું મોકલી આપ્યું છે
મારાથી ગાંધીનગર જવુ હાલ શક્ય નથી
ગુજરાતમાં ફરી એકવાર ભાજપમાં ભડકાના એંધાણ છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા બાદ ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું છે. એક તરફ રાજીનામા મુદ્દે ઈનામદાર અડગ છે. તો બીજી તરફ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ ઈનામદારને ન મનાવવા અડગ હોવાનું સૂત્રોનું કહેવું છે. રાજીનામા મુદ્દે રાજકારણ વધતા ઈનામદારને ભાજપના અન્ય નેતાઓના પણ ફોન આવી રહ્યા છે. જો કે, સૂત્રોનું માનીએ તો ભાજપના બીજા નેતાઓના ફોન રિસિવ કરવાનું ઈનામદારને બંધ કર્યું છે. કેનત ઈમાનદારે સમર્થકોને સંકેત આપ્યો છે કે, નેતાઓને મળવું હોય તો તે મને મળવા આવે.
VTV પર શું બોલ્યા ઈનામદાર?
મે મારું રાજીનામું મેઈલથી મોકલી આપ્યું છે અને મુખ્યમંત્રીને પણ રાજીનામું મોકલી આપ્યું છે. તેમણે કહ્યું હતું કે મારાથી ગાંધીનગર જવુ હાલ શક્ય નથી કારણ કે મારા ભાઈનું હાલમાં જ અવસાન થુયં છે. જીતુ વાઘાણીએ મારી સાથે વાત કરી છે પરંતુ હું મારી વાત પર અડગ છું. સાવલી માટે મારા કેટલાક ડ્રીમ પ્રોજેક્ટ છે. લાઇટ-પાણી અને રસ્તાના પ્રશ્ન છે જ નહીં. ડ્રીમ પ્રોજેક્ટને લઇ અધિકારીઓને વારંવાર રજૂઆતો કરી અને CM રૂપાણીને પણ રજૂઆત કરી હતી.
તેમણે કહ્યું કે માગણીઓ સ્વીકારાશે તો ધારાસભ્ય પદે યથાવત રહીશ. પરંતુ એ સ્પષ્ટ છે કે મેં કોઇ પદ માટે રાજીનામું નથી આપ્યું અને હું 2022 સુધી કોઇ પણ પદ ગ્રહણ નહીં કરુ. હાલમાં પ્રદેશ પ્રમુખની CM રૂપાણી વચ્ચે વાતચીત ચાલી રહી છે. જીતુ વાઘાણી, પ્રદીપસિંહ જાડેજા સાથે વાત કરી છે. હું સાંજ સુધી રાહ જોઈશ અને જો કોઈ જવાબ નહીં આવે તો હું એક્શન લઈશ. ઈનામદારે કહ્યું હતું કે હું રાજીનામું આપીશ અને પછી મારી પ્રજા અને મારા મતદારો મારું ભવિષ્ય નક્કી કરશે.